બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં 'હું નાથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ, રાજકોટ પછી જામનગર અને વડોદરામાં વિરોધ
Last Updated: 04:11 PM, 9 February 2026
Ahmedabad News: ગુજરાતમાં 'હું નથુરામ ગોડસે' નાટકનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. નાથુરામ ગોડસેના નાટક સામે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. રાજકોટ પછી જામનગર અને વડોદરામાં પણ વિરોધ શરૂ થયો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં નાથુરામ ગોડસેનું નાટક રજૂ થાય એ પહેલાં કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે. NSUIના કાર્યકરોએ 'નાથુરામ મુર્દાબાદ'નું લખાણ લખી વિરોધ નોધાવ્યો હતો.
હું નથુરામ નાટક પર વિવાદ, રાજકોટ બાદ અમદાવાદમાં વિરોધ | VTV Digital #HuNathuram #TheatreControversy #AhmedabadNews #RajkotNews #GujaratNews #DramaControversy #VTVDigital #IndiaNews pic.twitter.com/4mEqPM8wff
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 9, 2026
ADVERTISEMENT
રાજકોટમાં પણ આ અગાઉ હું નથુરામ નાટક યોજવાનું હતુ પરંતુ નાટક શરૂ થાય તે પહેલા શનિવારે રાત્રે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. અમદાવાદમાં NSUIના કાર્યકરે 'ગોડસે મુર્દાબાદ'ના નારા લખ્યી વિરોધ પ્રદર્શન કર્યુ છે. દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ પર NSUIએ વિરોધ નોધાવ્યો હતો.
અમદાવાદ સિંધુભવન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આજે યોજાનાર નાટકમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃએજન્ટ પાસેથી આરોપીઓ બાળકોને 5 લાખમાં ખરીદતા, ને 15 લાખમાં વેચતા
ADVERTISEMENT
અમદાવાદમાં એક દિવસ અગાઉ એટલે કે ગઇ કાલે 'હું નાથુરામ ગોડશે' નાટકનો વિરોધ કરાયો હતો. 8 ફેબ્રુઆરીએ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રોચાર દિવાલ ઉપર લખ્યા હતા. NSUIએ કહ્યુ હતુ કે, ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક ચલાવી લેવામાં આવશે નહીં. અમે આ નાટક યોજવા જ નહીં દઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.