બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / AAPમાંથી રાજીનામાં બાદ હવે ખેડૂત નેતા રાજુ કરપડા આજે ભાજપમાં જોડાશે, આ બેઠક પરથી લડશે ચૂંટણી
Last Updated: 11:18 AM, 9 April 2026
Raju Karpada Join BJP : ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. અહેવાલો મુજબ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં આજે ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે તેઓ પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
ADVERTISEMENT
રાજુ કરપડાનું આ પગલું માત્ર પક્ષ પરિવર્તન નથી, પરંતુ સ્થાનિક રાજકારણમાં મોટા પ્રભાવનું સંકેત માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં તેઓ ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવે છે. તેમની સાથે 200થી વધુ સમર્થકો ભાજપમાં પ્રવેશ કરશે, જેને રાજકીય શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

ADVERTISEMENT
નોંધનીય છે કે, રાજુ કરપડાએ થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તેમના આગામી રાજકીય પગલાં અંગે અટકળો ચાલી રહી હતી. હવે તેઓ ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી તેમને ટિકિટ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : કલોલમાં મહિલા હોમગાર્ડ પર હુમલો કરનાર રિક્ષા ચાલકને 15 વર્ષની સજા
ADVERTISEMENT
તેમની ભાજપમાં એન્ટ્રીથી સુરેન્દ્રનગર તથા આસપાસના વિસ્તારોમાં રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા છે. ભાજપ માટે આ જોડાણ સ્થાનિક સ્તરે મજબૂતી લાવશે, જ્યારે AAP માટે આ ઘટના ઝટકા સમાન બની શકે છે. રાજ્યમાં વધતા પક્ષાંતરણના પ્રકરણો ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણને વધુ ગરમ બનાવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.