બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / PM મોદી ફરી ગુજરાત આવશે, જાણો કેમ, ક્યારે અને ક્યાં, વહીવટી તંત્ર સજ્જ
Last Updated: 12:07 PM, 11 September 2025
PM Modi Bhavnagar : PM મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. વિગતો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાતે આવશે. અહીં તેઓ ગુજરાત મેરિટાઈમ બોર્ડ (GMB) દ્વારા આયોજિત વિશેષ શિપિંગ કાર્યક્રમમાં હાજરી આપશે અને સાથે જ શહેરના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ પણ કરશે.
ADVERTISEMENT

પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસ દરમિયાન ભાવનગરને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપશે. ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા અંદાજે ₹100 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ PM મોદી કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર
PM મોદીના પ્રવાસને લઈ ભાવનગર કોર્પોરેશન અને વહીવટી તંત્રે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કાર્યક્રમના સફળ આયોજન માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરાઈ રહ્યું છે અને શહેરમાં સ્વચ્છતા, વાહન વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.