બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર

SOP / ફરજિયાત NOC, ઈમરજન્સી એક્ઝિટ..., નવરાત્રિના આયોજકો માટે AMCની નવી ગાઇડલાઇન્સ જાહેર

Priykant Shrimali

Last Updated: 11:56 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navratri SOP : નવરાત્રિની શરૂઆત નજીક છે અને રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય ઉત્સવને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી આયોજકો માટે ખાસ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવ્યા

Navratri SOP : આગામી 22 સપ્ટેમ્બરથી શરૂ થતાં નવરાત્રિના તહેવારને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નવરાત્રિના આયોજકો માટે તંત્ર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. વિગતો મુજબ નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.

આ સાથે પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્કવે.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે. નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહિં, ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. નવરાત્રિ આયોજક દ્વારા ઓછામાં ઓછા બે EMERGENCY EXIT રાખવાના રહેશે જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.

નવરાત્રીની શરૂઆત નજીક છે અને રાજ્ય સરકાર દ્વારા આ ભવ્ય ઉત્સવને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાના હેતુથી આયોજકો માટે ખાસ માર્ગદર્શન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 22 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થતી નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કે દુર્ઘટના ટાળી શકાય તે માટે આ નિયમોનું કડક પાલન ફરજિયાત કરાયું છે.

નવરાત્રિ ઉજવણી માટે સરકારના માર્ગદર્શક નિયમો

અગ્નિસુરક્ષા (Fire Safety)

  • ફાયર વિભાગનું પ્રમાણપત્ર (NOC) અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ફરજિયાત રહેશે.
  • મંડપમાં દર 100 ચો.મી. વિસ્તારમાં માટે :
  • 2 નંગ ABC ફાયર એક્ષટિંગ્યુશર (6 કી.ગ્રા.ની ક્ષમતા).
  • 2 નંગ CO₂ ફાયર એક્ષટિંગ્યુશર (4.5 કી.ગ્રા.ની ક્ષમતા).
  • 2 ડોલા રેતી અને 200 લીટર પાણીથી ભરેલ ડ્રમ રાખવા પડશે.
  • માતાજીની મૂર્તિ પાસે દીવો રાખવામાં આવે ત્યાં રેતીનો નોબેઝ ફરજિયાત રહેશે.
  • પંડાલમાં પાણીનો પુરવઠો 0.75 લી/સ્ક્વે.મી હોવો જોઈએ અને તેને ઝડપથી ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં રાખવો પડશે.
  • ફાયર ટ્રેન્ડ સ્વયંસેવકો સતત હાજર રહેવા પડશે.

સ્ટ્રક્ચર અને સ્થળ પસંદગી

  • મંડપ કે સ્ટેજ શાળા, હોસ્પિટલ, રેલવે લાઇન, હાઈ ટેન્શન લાઇન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મરથી દૂર હોવો જોઈએ.
  • બે સ્ટ્રક્ચર વચ્ચે ઓછામાં ઓછું 2 મીટરનું અંતર ફરજિયાત છે.
  • ઇમરજન્સી વાહનો માટે રોડ ખુલ્લા અને અવરોધમુક્ત રાખવાના રહેશે.

ઈમરજન્સી વ્યવસ્થા

  • દરેક પંડાલમાં ઓછામાં ઓછા બે EMERGENCY EXIT હોવા જરૂરી છે-જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ.
  • ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લી જગ્યા રાખવી ફરજિયાત.
  • Auto-glow signage (NO SMOKING ZONE, EXIT, EMERGENCY EXIT) સ્પષ્ટ રીતે લગાવવામાં આવવાના રહેશે.

પ્રવેશ અને ભીડ નિયંત્રણ

  • પંડાલની ક્ષમતા મુજબ પ્રવેશ આપવામાં આવશે.
  • દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછી 1 ચો.મી. જગ્યા હોવી જોઈએ.
  • પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવા પર પ્રતિબંધ છે-જેથી ઈમરજન્સીમાં સરળતાથી બહાર નીકળી શકાય.
  • કોઈપણ મંડપમાં સ્ટોલ કે વેપારી વ્યવસ્થા મંજૂર નથી.
  • દરરોજ દર્શકોનો રેકોર્ડ રાખવો ફરજિયાત છે.

સીટીંગ વ્યવસ્થા

  • સીટિંગમાંથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધુ નહીં હોય.
  • દર 10 રો અને 10 બેઠક પછી ઓછામાં ઓછી 1.5 મીટર પહોળો પેસેજ રાખવો જરૂરી છે.

ઇલેક્ટ્રિકલ સુરક્ષા

  • તમામ ઇલેક્ટ્રિક ઈંસ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાના રહેશે.
  • ફક્ત ગવર્નમેન્ટ-અપ્રૂવ્ડ ઇલેક્ટ્રિક ઈજનેર દ્વારા ઈન્સ્પેક્શન કરાવવું.
  • વાયરિંગ માટે PVC અથવા ટફ રબર વલ્કેનાઈઝ્ડ વાયર વાપરવો જરૂરી છે.
  • ઇલેક્ટ્રિક લાઈટિંગથી જ્વલનશીલ સામગ્રી ઓછામાં ઓછા 15 સે.મી દૂર રાખવો.
  • IoT-based ઈલેક્ટ્રિકલ સિસ્ટમ ફરજિયાત રહેશે.

આ પણ વાંચો : વરસાદની વિરામ વચ્ચે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ ક્યાં ખાબકશે

પ્રતિબંધિત પ્રવૃત્તિઓ

  • પંડાલમાં કે આસપાસ LPG ગેસ, ધૂમ્રપાન સાધનો, ફટાકડા, રસોઈ સામગ્રી, ધન/પ્રવાહી જ્વલનશીલ પદાર્થો રાખવા પર પ્રતિબંધ છે.
  • કાર્પેટ અને પડદાઓને ફાયર રીટાર્ડન્ટ પેઇન્ટથી ઢાંકી રાખવા ફરજિયાત છે.

વિશેષ સુવિધાઓ

  • જો મોશન ફિલ્મ સ્ક્રીન હોય તો તેમાં ફાયર સેફ્ટી ફિલ્મ બતાવવી ફરજિયાત છે.
  • પબ્લિક એડ્રેસ સિસ્ટમ હંમેશાં કાર્યરત હોવી જોઈએ.

પરમિશન અને દસ્તાવેજીકરણ

  • દરેક આયોજકને પોલીસ, ફાયર, અને મ્યુનિસિપલ વિભાગનું NOC મેળવવું ફરજિયાત છે.
  • તમામ વ્યવસ્થાઓ અને દર્શકોના આગમનનો લિખિત દસ્તાવેજી રેકોર્ડ સંભાળવો ફરજિયાત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri SOP Navratri Organizer Navratri 2025
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ