બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા, બાથરૂમમાં બેગ', સ્વામિનારાયણ મંદિરમાં આપઘાત કરનાર બે કોલેજીયન ગર્લ કેસમાં ઘટસ્ફોટ
Last Updated: 02:41 PM, 8 March 2026
Surat Suicide News: સુરતમાં બે યુવતીઓએ જોડે આપઘાત કરતાં કેસ વધુ રહસ્યમય બન્યો છે. મળતી માહિતી અનુસાર રોશની શિરશાઠ અને જોશનાનો ચૌધરી નામની બે યુવતીઓ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ગઈ હતી. ત્યારબાદ મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળતા લોકોમાં હડકંપ મચી ગયો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી એનેથેસિયાની દવા અને ઇન્જેક્શનની બોટલો મળી આવી હતી. જેના આધારે પોલીસએ આશંકા વ્યક્ત કરી છે કે બંને યુવતીઓએ દવાના ઓવરડોઝ દ્વારા જીવન ટૂંકાવ્યું હોઈ શકે છે.
ADVERTISEMENT
ઘટનાસ્થળની તપાસ દરમિયાન બાથરૂમમાંથી બંને યુવતીઓના બેગ પણ મળી આવ્યા હતા. એક બેગ વોશબેસિન પર મૂકેલું મળ્યું હતું. બેગની અંદરથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઇલ ફોન અને બંને મિત્રોના ફોટોગ્રાફ મળી આવ્યા હતા. તે ઉપરાંત અન્ય બેગમાંથી મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, બુક અને હોળીના રંગ પણ મળ્યા હતા. આ વસ્તુઓના આધારે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે. બાથરૂમની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બેગ અને અન્ય વસ્તુઓ જોવા મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મૃતક રોશની શિરશાઠ વિશે જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલાં જ તેના પરિવાર સાથે ખુશીના પળો પસાર કર્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ તેના માતા-પિતાની લગ્ન વર્ષગાંઠ હતી, જેને રોશનીએ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવી હતી. પરંતુ આ ઉજવણીના બીજા જ દિવસે તેણે પોતાની બહેનપણી જોશના સાથે મળીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. આ વાતે પરિવારજનો તેમજ આસપાસના લોકોમાં વધુ આશ્ચર્ય અને દુઃખનું વાતાવરણ ઉભું કર્યું છે.
ADVERTISEMENT
હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. બંને યુવતીઓના મોબાઇલ ફોન અને અન્ય પુરાવાઓના આધારે આત્મહત્યાના કારણો જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારજનોના નિવેદન તેમજ મિત્રવર્તુળમાંથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તેમ છતાં અત્યાર સુધી બંને યુવતીઓએ આકસ્મિક પગલું કેમ ભર્યું તે અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ વધુ સ્પષ્ટતા મળશે. તે ઉપરાંત મોબાઇલ ડેટા અને કોલ રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં આવશે. આ બનાવે સુરત શહેરમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. બે યુવાન યુવતીઓએ એકસાથે આટલું ગંભીર પગલું કેમ ભર્યું, તેની પાછળનું સાચું કારણ શું છે, તે અંગે હાલ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું રહસ્ય બહાર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.