બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સુરતના સમાચાર / સુરતમાં નશામાં ધૂત શખ્સે યુવકની હત્યા કરી, રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
Last Updated: 11:24 AM, 5 March 2026
Surat-Rajkot News: સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં ધૂળેટીના પર્વ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાધિકા સોસાયટીમાં ધૂળેટીની ખુશી વચ્ચે અચાનક હિંસક બનાવ બનતા આખો વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. નશામાં ધૂત કેટલાક શખ્સો સાથે થયેલા વિવાદમાં 18 વર્ષીય રાજકુમાર નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર મારામારીના કારણે રાજકુમારનું મોત થતાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ધૂળેટી હોવાથી સોસાયટીમાં લોકો રંગ અને સંગીત સાથે ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ મહિલાઓ વચ્ચે ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજકુમારે તેને મહિલાઓ વચ્ચે ડાન્સ કરતાં અટકાવ્યો હતો અને તેને બહાર જવા કહ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા શખ્સે ત્યાંથી જતાં પહેલા રાજકુમારને ધમકી આપી હતી.

ADVERTISEMENT
થોડીવાર બાદ તે અજાણ્યો શખ્સ પોતાના 20 જેટલા સાગરીતો સાથે ફરી પાછો આવ્યો હતો. આરોપીઓએ રાજકુમારના ઘરની બારીના કાચ તોડી અંદર ઘૂસી જઈને તેની ઉપર તૂટી પડ્યા હતા. તમામ લોકોએ મળીને રાજકુમારને ભારે માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં રાજકુમારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તો બીજ તરફ રાજકોટમાં પણ ધૂળેટીના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં ધૂળેટીની રાત્રે અજાણ્યા શખ્સોએ 32 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના યુવાનની હત્યા કરી નાખી હતી. માહિતી મુજબ, આરોપીઓએ રાહુલ પર પથ્થરોથી હુમલો કરીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

પરિવારજનોના જણાવ્યા મુજબ મોબાઈલ બાબતે થયેલા વિવાદના કારણે રાહુલની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા નેપાળી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. નેપાળી યુવકની હત્યાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હાલમાં માલવિયાનગર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.