બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કંઇ એમ જ અજાયબી નથી કહેવાતું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', ખાસિયતો ચોંકાવી દેશે

ગુજરાત / કંઇ એમ જ અજાયબી નથી કહેવાતું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી', ખાસિયતો ચોંકાવી દેશે

Ajitsinh Jadeja

Last Updated: 01:07 PM, 31 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statue of Unity: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે પહોચ્યા છે.

Statue of Unity: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતની મુલાકાતે પહોચ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રની એકતા અને શ્રેષ્ઠતાના પ્રતીક "એક ભારત, શ્રેષ્ઠ ભારત" ના સંકલ્પને સમર્પિત છે. ચાલો વિશ્વની સૌથી ઊંચી અને સૌથી અદભૂત "સ્ટેચ્યુ ઓફ યુનિટી" નું મહત્વ, વિશેષતાઓ વિશે જાણીએ.

statue-of-unity_1

ગુજરાતના કેવડિયામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમા તેની ઊંચાઈને કારણે વિશ્વભરમાં એક ખાસ ઓળખ ધરાવે છે. તેની ઊંચાઈ 182 મીટર છે, જે તેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવે છે. તે એટલી વિશાળ છે કે તેને 7 કિલોમીટરના અંતરેથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે અમેરિકાના પ્રસિદ્ધ "સ્ટેચ્યુ ઓફ લિબર્ટી" (93 મીટર) ની ઊંચાઈ કરતા લગભગ બમણી છે.

statue-of-unity1.jpg

આ પ્રતિમામાં પ્રવાસીઓ માટે પણ એક ખાસ સુવિધા છે. બે ખાસ લિફ્ટ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી મુલાકાતીઓ સરદાર પટેલના દિલ સુધી પહોંચી શકે છે. ત્યાંથી, પ્રવાસીઓ સરદાર સરોવર ડેમ અને આસપાસની સુંદર લીલોતરીના મનમોહક દૃશ્યનો આનંદ માણી શકે છે.

ઇજનેરોએ આ પ્રતિમાનું નિર્માણ ચાર મુખ્ય તબક્કામાં પૂર્ણ કર્યું. પહેલા, એક મોક-અપ બનાવવામાં આવ્યું, પછી 3D સ્કેનીંગ ટેકનોલોજી અને કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ પ્રોડક્શન તકનીકો જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રતિમા બનાવવામાં સૌથી મોટો પડકાર તેને તમામ પ્રકારની કુદરતી આફતોથી બચાવવાનો હતો, જે ઇજનેરોએ પ્રશંસનીય રીતે પૂર્ણ કર્યો.

vtv app promotion

આ પ્રતિમાના નિર્માણમાં ઇજનેરોએ નોંધપાત્ર ઇજનેરી કૌશલ્ય દર્શાવ્યું. એવી રીતે નિર્માણ કરવામાં આવ્યુ છે કે, 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનમાં પણ મજબૂત રીતે ઉભુ રહી શકે છે. વધુમાં આ પ્રતિમા 6.5 ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરવા સક્ષમ છે. પ્રતિમાના નિર્માણ દરમિયાન ભારતીય મજૂરો સાથે 200 ચીની કામદારોએ પણ સપ્ટેમ્બર 2017 થી અલગ અલગ બેચમાં બે થી ત્રણ મહિના સુધી મદદ કરી.

આ પણ વાંચોઃ Video: 88 વર્ષીય શાંતાબાના કરતબ જોઇ અક્ષય કુમારથી રહેવાયું નહીં, પછી જે કર્યું...! તો જેકી શ્રોફે ઢોકળા યાદ કર્યા

31 ઓક્ટોબર 2018 ના લોકાર્પણ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ બની ગયું છે. મુલાકાતીઓની સંખ્યામાં વર્ષ-દર-વર્ષે સતત વધારો થયો છે. 2024 સુધીમાં આ પ્રતિમાની મુલાકાત લેવા આવનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 2 કરોડના આંકડાને વટાવી ચુકી છે. ગયા વર્ષે ફક્ત 2024માં 58.25 લાખથી વધુ લોકો આ વિશાળ પ્રતિમા જોવા આવ્યા હતા, જે તેમની વધતી લોકપ્રિયતા દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Statue of Unity Kevadia Gujarat News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ