બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરાના વધુ 3 કેસની ગુજરાતના આ જિલ્લામાં એન્ટ્રી, આરોગ્ય તંત્રમાં દોડધામ
Last Updated: 02:57 PM, 18 July 2026
Gujarat Chandipura Virus : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. શહેરમાંથી બે અને દ્વારકા જિલ્લામાંથી એક બાળકને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રણેય બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા તેમના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
જી.જી. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. સોનલ શાહના જણાવ્યા અનુસાર, હાલ ત્રણેય બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી જરૂરી સારવાર શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના દર્દીઓ માટે અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી જરૂરિયાત મુજબ સારવાર આપવામાં સરળતા રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે બાળકોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ થશે. ત્યાં સુધી તબીબો સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી સારવાર આપી રહ્યા છે.
ADVERTISEMENT
ડૉ. સોનલ શાહે જણાવ્યું કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકોને માખીના ઉપદ્રવથી બચાવવા માટે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જો બાળકમાં નીચેના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, જો દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો જી.જી. હોસ્પિટલમાં તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.