બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને આપી રાહત, ધરપકડ પરનો સ્ટે 23 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો
Last Updated: 07:57 PM, 9 February 2026
Dewayat Khavad: ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવડને હંગામી રાહત આપી છે. દેવાયત ખવડની ધરપકડ પર લાગેલી રોક 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ચાંગોદર મારામારી કેસમાં હવે 23 ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે.
ADVERTISEMENT
દેવાયત ખવડે ચાંગોદરમાં થયેલી માથાકૂટ પછી આગોતરા જામીન અંગે અરજી કરી હતી. અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરી હતી. ચાંગોદરની ઘટના બાદ જામીન દરમિયાન તાલાલામાં માથાકૂટ પણ કરી હતી. જામીન દરમિયાન જ તાલાલામાં એક વ્યક્તિ પર હૂમલો કર્યો હતો. જિલ્લા સેશન્સ કોર્ટે શરતોના ભંગ બદલ જામીન રદ કર્યા હતા.
દેવાયત ખવડ સામે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં માથાકૂટ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ જેલમાં જવું પડ્યુ હતું. તેને અમદાવાદમાંથી શરતી જામીન મળ્યા હતા. જોકે જામીન પર છૂટ્યા બાદ તાલાલામાં એક યુવક પર હુમલો થયો. આ હુમલા બાદ અમદાવાદ કોર્ટમાં દેવાયત ખવડના શરતી જામીન રદ કરવાની અરજી કરવામાં આવી હતી અને અમદાવાદ કોર્ટે તેમના જામીન રદ કરી દીધા હતા.
ADVERTISEMENT
જેને લઇ દેવાયત ખવડે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 23 ફેબ્રુઆરી સુધી વચગાળાની રાહતને લંબાવી દીધી છે. ત્યાં સુધી દેવાયત ખવડને વચગાળાની રાહત મળી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ 28 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી આવશે સાણંદ, જાણો શું છે કાર્યક્રમ, દેશને મળશે 'મોટી ગિફ્ટ'
કોણ છે દેવાયત ખવડ
ADVERTISEMENT
દેવાયત ખવડ મૂળ દુધઈ ગામના રહેવાસી છે અને તેઓએ 1થી 7 ધોરણ સુધી દુધઈમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેઓ માધ્યમિક શાળામાં ભણવા માટે દૂધરેજથી 4 કિલોમીટર દૂર સડલા ગામમાં ગયા હતા પણ તેમણે ભણવામાં બિલકુલ રસ નહોતો. ત્યારબાદ તેમણે ગાવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઇશરદાન ગઢવીને ખૂબ જ સાંભળતા હતા અને તેમનામાંથી જ ગાવાની પ્રેરણા મળી હતી. ત્યારબાદ તેઓએ ડાયરામાં ડગ માંડ્યા હતા. દેવાયત ખવડે તેમના જીવનમાં ઘણી વધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ત્યારબાદ તેઓએ આજે આવું નામ બનાવી લીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.