દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટા પાયે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્થિતિ પશ્ચિમ વિસ્તારમાં વધુ વણસી છે કારણ કે, શહેરના મોટાભાગના કેસ અહીં નોંધાયા છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે સૌથી વધુ 1540 નવા કેસ
1283 દર્દીઓ થયાં સાજા
કુલ કેસનો આંકડો 2,01,949 પર પહોંચ્યો
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થયાં હતા. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,480,789 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
ગુજરાતમાં છેલ્લાં 5 દિવસમાં સરેરાશ 1500થી વધુ કેસ
તારીખ
કેસ
સાજા
મોત
2020-11-21
1515
1271
9
2020-11-22
1495
1167
13
2020-11-23
1487
1234
17
2020-11-24
1510
1286
16
2020-11-25
1540
1283
14
કુલ
7547
6241
69
અમદાવાદ જિલ્લામાં 349 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58,ગાંધીનગર શહેરમાં 42, ગાંધીનગર જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.
અમદાવાદ
સુરત
તારીખ
કેસ
મોત
કેસ
મોત
2020-11-21
373
5
262
2
2020-11-22
341
8
266
2
2020-11-23
344
13
270
1
2020-11-24
347
12
286
3
2020-11-25
349
10
277
2
કુલ
1754
48
1361
10
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત
25/11/2020
પોઝિટિવ કેસ
અમદાવાદ
349
સુરત
277
વડોદરા
169
ગાંધીનગર
81
ભાવનગર
19
બનાસકાંઠા
57
આણંદ
20
રાજકોટ
127
અરવલ્લી
6
મહેસાણા
45
પંચમહાલ
27
બોટાદ
8
મહીસાગર
18
ખેડા
30
પાટણ
49
જામનગર
44
ભરૂચ
26
સાબરકાંઠા
21
ગીર સોમનાથ
9
દાહોદ
16
છોટા ઉદેપુર
5
કચ્છ
19
નર્મદા
4
દેવભૂમિ દ્વારકા
6
વલસાડ
3
નવસારી
7
જૂનાગઢ
20
પોરબંદર
4
સુરેન્દ્રનગર
20
મોરબી
24
તાપી
4
ડાંગ
0
અમરેલી
26
અન્ય રાજ્ય
0
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
ગુજરાતમાં બહારથી આવતા લોકો માટેના ટેસ્ટ અંગે નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય.