બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus update 25 november 2020 Gujarat
ADVERTISEMENT
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1283 દર્દીઓ સાજા થયાં હતા. આજે 14 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3906 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14287 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 91,469 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,480,789 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસ દરમિયાન 1500થી વધુ કેસ નોંધાયા હતા.
| ગુજરાતમાં છેલ્લાં 5 દિવસમાં સરેરાશ 1500થી વધુ કેસ | |||
| તારીખ | કેસ | સાજા | મોત |
| 2020-11-21 | 1515 | 1271 | 9 |
| 2020-11-22 | 1495 | 1167 | 13 |
| 2020-11-23 | 1487 | 1234 | 17 |
| 2020-11-24 | 1510 | 1286 | 16 |
| 2020-11-25 | 1540 | 1283 | 14 |
| કુલ | 7547 | 6241 | 69 |
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લામાં 349 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 326, અમદાવાદ જિલ્લામાં 23, સુરત શહેરમાં 221, સુરત જિલ્લામાં 56, વડોદરા શહેરમાં 128, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 69, રાજકોટ જિલ્લામાં 58,ગાંધીનગર શહેરમાં 42, ગાંધીનગર જિલ્લામાં 39 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.
ADVERTISEMENT
| અમદાવાદ | સુરત | |||
| તારીખ | કેસ | મોત | કેસ | મોત |
| 2020-11-21 | 373 | 5 | 262 | 2 |
| 2020-11-22 | 341 | 8 | 266 | 2 |
| 2020-11-23 | 344 | 13 | 270 | 1 |
| 2020-11-24 | 347 | 12 | 286 | 3 |
| 2020-11-25 | 349 | 10 | 277 | 2 |
| કુલ | 1754 | 48 | 1361 | 10 |
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત
ADVERTISEMENT
| 25/11/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 349 |
| સુરત | 277 |
| વડોદરા | 169 |
| ગાંધીનગર | 81 |
| ભાવનગર | 19 |
| બનાસકાંઠા | 57 |
| આણંદ | 20 |
| રાજકોટ | 127 |
| અરવલ્લી | 6 |
| મહેસાણા | 45 |
| પંચમહાલ | 27 |
| બોટાદ | 8 |
| મહીસાગર | 18 |
| ખેડા | 30 |
| પાટણ | 49 |
| જામનગર | 44 |
| ભરૂચ | 26 |
| સાબરકાંઠા | 21 |
| ગીર સોમનાથ | 9 |
| દાહોદ | 16 |
| છોટા ઉદેપુર | 5 |
| કચ્છ | 19 |
| નર્મદા | 4 |
| દેવભૂમિ દ્વારકા | 6 |
| વલસાડ | 3 |
| નવસારી | 7 |
| જૂનાગઢ | 20 |
| પોરબંદર | 4 |
| સુરેન્દ્રનગર | 20 |
| મોરબી | 24 |
| તાપી | 4 |
| ડાંગ | 0 |
| અમરેલી | 26 |
| અન્ય રાજ્ય | 0 |
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન
ADVERTISEMENT
વેક્સિનના ટ્રાયલને લઈને DyCMનું નિવેદન આપ્યુ હતું કે, વેક્સિનને લઈને તબીબોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને હાલ વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. દરરોજના 20 તંદુરસ્ત યુવકો પર વેક્સિનનો ટ્રાયલ કરવામાં આવશે. એક મહિનામાં 2 વાર વેક્સિનનો પ્રયોગ આ યુવકો પર કરવામાં આવશે જેના માટે સ્વયંસેવકો જાતે જ આગળ આવી રહ્યા છે.
ગુજરાતમાં બહારથી આવતા લોકો માટેના ટેસ્ટ અંગે નિવેદન
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રવેશ માટે ટેસ્ટ ફરજિયાતનો નિર્ણય લેવાયો નથી અને જેમને બહાર જવું છે તેમના વિનામુલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટ થાય છે. રાજ્યનો નાગરિક બહાર જવાનો હોય કે ન જવાનો હોય તે પોતાના માટે થઇને આ ટેસ્ટ ફ્રીમાં કરાવી શકે છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા અન્ય રાજ્યો કરતા ઓછી છે અને મહારાષ્ટ્ર જેવી વ્યવસ્થા ગુજરાતમાં ઉભી નહીં કરાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.