બ્રેકિંગ ન્યુઝ
રાજ્ય સરકરા દ્વારા સિરામિક ઉદ્યોગ માટે મહત્વાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિરામિકનો ઉદ્યોગ ચલાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. સિરામિક ઉદ્યોગને અપાતા નેચરલ ગેસના ભાવમાં કરાયો ઘટાડો કરાયો છે. નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર સાડા ચાર રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

નવું વર્ષ સિરામિક ઉદ્યોગ માટે ખુશીઓની ભેટ લઈને આવ્યું છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવો સતત વધી રહ્યા હતા સતત વધતા ભાવથી સિરામિક ઉદ્યોગો ચલાવવામાં ભારે મુશ્કેલીઓ પડતી હતી જેને લઈને હવે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને નેચરલ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર સાડા ચાર રૂપિયાનો ઘટાડો કર્યો છે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢના સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળશે
ADVERTISEMENT
વધુ વાંચો: PPF થઈ લઇને સુકન્યા સમૃદ્ધિ યોજના સુધી, નાની બચત યોજનાઓ પર સરકારનો મોટો નિર્ણય
મોરબી અને સુરેન્દ્રનગર-થાનગઢમાં મોટાપાયે ટાઈલ્સની ફેક્ટરીઓ આવેલી છે આ ટાઈલ્સની ફેક્ટરીઓમાંથી દેશ વિદેશમાં માલ સપ્લાય કરવામાં આવે છે. જ્યારે માલની કોસ્ટ વધતી હોવાથી ઉદ્યોગો ચલાવવા ભારે મુશ્કેલ હતા એવા સમયે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પ્રતિ ક્યુબિક મીટર રૂ. 4.50નો ઘટાડો કરતા ઉદ્યોગ ચલાવનાર લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ નિર્ણયથી હજારો ઉદ્યોગકારોને ફાયદો થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.