બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 PM, 31 December 2025
વર્ષ 2025 ના છેલ્લા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજદોરની જાહેરાત કરી છે. આ વ્યાજદર તા. 1 જાન્યુઆરી થી તા. 31 માર્ચ 2026 સુધી લાગુ રહેશે. તેમજ સરકાર દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આ ક્વાર્ટરમાં કોઈપણ નાની બચત યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરનારાઓને પહેલા જેવા જ વ્યાજદર મળતા રહેશે.
ADVERTISEMENT
પીપીએફ, એનએસસી અનો પોસ્ટ ઓફિસ યોજનામાં રાહત
નાણામંત્રાલય દ્વારા જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ 2026 ના સમયગાળા માટે નાની બચત યોજનાઓ પર વ્યાજદર ઓક્ટોબર-ડિસેમ્બર 2025 જેટલા જ રહેશે. એટલે કે પ્રોવિડન્ટ ફંડ માં રોકાણકારોને 7.1 ટકા વ્યાજ મળતું રહશે. તેમજ પીપીએફ સલામત અને લાંબાગાળાના રોકાણ માટેનો વિકલ્પ માનવામાં આવે છે. એટલે તે મધ્યમવર્ગના રોકાણકારોમાં લોકપ્રિય છે.
ADVERTISEMENT

સૌથી વધુ દીકરીઓ તેમજ સિનિયર સિટીઝનને ફાયદો થશે
ADVERTISEMENT
ઊંચા વ્યાજદરની વાત કરવામાં આવે તો સિનિયર સીટીઝન સેવિગ્સ સ્ક્રીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજના હાલ લોકપ્રિય છે. સરકાર બંને યોજનાઓમાં 8.2 ટકા વ્યાજ આપે છે. જ્યારે નાની બચત યોજનાઓમાં સૌથી વધુ છે. તેમજ રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (nsc) માં રોકાણકારોને 7.7 ટકા નિશ્ચિત વળતર મળશે. જ્યારે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં 7.4 ટકા વ્યાજ દર સાથે નિશ્ચિત માસિક આવક આપે છે.
આ પણ વાંચોઃ હવે ક્રેડિટ કાર્ડ-લોન મેળવવું સરળ બન્યું, બસ અપનાવો આ 4 જોરદાર ટિપ્સ
ADVERTISEMENT
kvp માં પૈસા નિર્ધારિત સમય બમણા થશે
કિસાન વિકાસ પત્રમાં રોકાણકારોને 7.5 ટકા વ્યાજ મળશે. આ યોજનાની ખાસ વાત એ છે કે રોકાણ કરેલી રકમ ચોક્કસ સમયગાળામાં બમણી થાય છે. સરકારનો નિર્ણય એવા રોકારણકારોને રાહત આપે છે. જેઓ સુરક્ષિત અને ગેરંટીકૃત વળતર ધરાવતી યોજનાઓ પસંદ કરે છે. યથાવત વ્યાજદરો રોકાણકારોની આયોજનાને અસર કરશે નહી. અને તેઓ પહેલાની જેમ તેમની બચત યોજનાઓમાં રોકાણ ચાલુ રાખી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.