ગાંધીનગરઃ રાજય સરકારે ઘરનું ઘર યોજનાને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જરૂરિયાતમંદ લોકોને અપાતી મકાન સહાયમાં વધારો કરાયો છે. રાજ્ય સરકારમાં મકાન સહાયમાં 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રૂ. 70 હજારના બદલે રૂ. 1.20 લાખ અપાશે. અને 20 હજાર કુટુંબો માટે રૂ. 240 કરોડની સહાય કરાશે.
ઉલ્લેખનીય છે કે આ મોંઘવારીમાં ઘરનું ઘર બનાવવા માત્ર 70 હજારની સહાય ગરીબો માટે હતી. ત્યારે હાલમાં 70 હજારનાં બદલે 2.50 લાખની સહાય કરવામાં આવી છે. જેને લઇ બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગ યોજનાનો લાભ લઇ શકશે.
કારણકે 100 ચો.વાનું એક આવાસ બનાવવા આશરે 3.50 લાખ જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે હાલમાં રૂ.70 હજારની સહાય મળતી હતી. જેને લઇ ગરીબ પરિવારો આવી સહાયનો લાભ લઇ શકશે.