બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ કરશે મહત્વની બેઠક

ગાંધીનગર / રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ કરશે મહત્વની બેઠક

Pravin Joshi

Last Updated: 12:19 AM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

ગુજરાતમાં આગામી અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વને લઈને રાજકીય અને ધાર્મિક ઉત્સાહ બમણો થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અષાઢી બીજના પવિત્ર દિવસે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા અને અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થવાની સાથે-સાથે ભાજપ સંગઠન અને રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ સાથે એક હાઈપ્રોફાઈલ બેઠક પણ યોજવાના છે.

rathyatra-final

ભગવાન જગન્નાથજીની મંગલા આરતીમાં લેશે ભાગ

દર વર્ષની પરંપરા અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અષાઢી બીજની વહેલી સવારે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચશે. રથયાત્રાના આ મંગલ અવસરે તેઓ વહેલી સવારે ભગવાન જગન્નાથજીની ભવ્ય મંગલા આરતીમાં સહપરિવાર ભાગ લેશે અને દેશ તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરશે.

Amit Shah on Delhi Blast

16 તારીખે કમલમ ખાતે સરકાર અને સંગઠનની સંયુક્ત બેઠક

ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા બાદ, બપોર પછી કેન્દ્રીય ગૃહ મંત્રી ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે પહોંચશે. 16 તારીખે યોજાનારી આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અમિત શાહની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ગુજરાત સરકારના મંત્રીઓ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. જેમાં સરકારના લોકકલ્યાણના કાર્યો અને સંગઠનની આગામી રણનીતિઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

વધુ વાંચો : વિરાટ અને ગૌતમ ગંભીર વચ્ચે ફરી વધી દૂરી? વનડે સિરીઝ પહેલાં રિપોર્ટથી ચર્ચાનો માહોલ

બેઠક બાદ વૃક્ષારોપણ અભિયાન અને દિલ્હી રવાના

'શ્રી કમલમ' ખાતેની મહત્વની બેઠક પૂર્ણ કર્યા બાદ, કેન્દ્રીય ગૃહ મંત્રી પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે રાજ્યમાં આયોજિત વિવિધ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સ્વહસ્તે વૃક્ષારોપણ કરશે. અષાઢી બીજના આ વ્યસ્ત અને ઝંઝાવતી પ્રવાસના અંતે, તમામ કાર્યક્રમો આટોપીને મોડી સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટથી સીધા દિલ્હી જવા રવાના થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AshadhiBeej RathYatra AmitShah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ