બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગિરનાર પર સિંહના એટેક બાદ સરકાર એક્શન મોડમાં, લીધા મહત્વના નિર્ણયો

જૂનાગઢ / ગિરનાર પર સિંહના એટેક બાદ સરકાર એક્શન મોડમાં, લીધા મહત્વના નિર્ણયો

Vishal Khamar

Last Updated: 11:37 PM, 14 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનાર પર બાળક પર સિંહના જીવલેણ હુમલા બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં યાત્રાળુઓની સુરક્ષા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.આ નિર્ણયોને પ્રવાસીઓએ આવકારતા પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે.

ગિરનાર પર થોડા દિવસો પહેલા બાળક પર સિંહના હુમલાની દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. ઘટનાને ગંભીરતાથી લઈ વન અને પર્યાવરણ મંત્રી દ્વારા ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં યાત્રાળુઓની સુરક્ષા અને સિંહોના સંરક્ષણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.સરકારે દાતારના સીડી વિસ્તારમાં નવા 25 ટ્રેકરો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકપોસ્ટ ઉભી કરાશે અને જરૂર જણાય ત્યાં ટ્રેકરોની સંખ્યામાં વધુ વધારો પણ કરવામાં આવશે.

યાત્રાળુઓની સંખ્યા નિયંત્રિત કરવા માટે એસઓપી તૈયાર કરવામાં આવશે, જ્યારે દાતાર સીડી વિસ્તારને સાયલન્સ ઝોન જાહેર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સિંહોને પજવવાના અથવા છંછેડવાના બનાવો સામે હવે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. જંગલી પ્રાણીઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનું માનવું છે કે યાત્રાળુઓની સુરક્ષા સાથે વન્યજીવોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે.

પ્રવાસીએ સરકારના નિર્ણયને આવકારતા કહ્યું કે ઘટના અત્યંત દુઃખદ હતી, પરંતુ હવે ટ્રેકરોની સંખ્યા વધારવામાં આવી હોવાથી યાત્રાળુઓ વધુ સુરક્ષિત અનુભવશે. તેમણે પ્રવાસીઓને પણ અપીલ કરી કે સિંહ દેખાય તો દૂર રહેવું અને તેની પજવણી ન કરવી.

સિંહની નજીક જઈ વીડિયો કે રીલ બનાવવા જેવી બેદરકારી ટાળવી

પ્રવાસી ભરતભાઈ પટેલે જણાવ્યું કે સોશિયલ મીડિયા માટે સિંહની નજીક જઈ વીડિયો કે રીલ બનાવવા જેવી બેદરકારી ટાળવી જોઈએ. તેમણે કહ્યું કે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાં શાંતિથી રહેવા દેવા જોઈએ અને સરકાર દ્વારા વધારાયેલા ટ્રેકરો તથા સુરક્ષા વ્યવસ્થાને સકારાત્મક પગલું ગણાવ્યું.

ભવિષ્યમાં પણ ટ્રેકરોની સંખ્યા વધારવાની માંગ

પ્રવાસી કલ્પનાએ જણાવ્યું કે બાળક પર થયેલો હુમલો ખૂબ જ દુઃખદ હતો અને તે બાદ પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે સરકાર દ્વારા વધારાયેલા ટ્રેકરો અને સુરક્ષા વ્યવસ્થાથી હવે વિશ્વાસ વધ્યો છે. તેમણે ભવિષ્યમાં પણ ટ્રેકરોની સંખ્યા વધારવાની માંગ કરી.

આ પણ વાંચોઃ ''આતંકીઓને ખૂણે-ખૂણેથી...'', રથયાત્રા પૂર્વે ઝડપાયેલા ટેરરિસ્ટ વિશે હર્ષ સંઘવીનું મોટું નિવેદન

સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પ્રવાસીઓએ સ્વાગત કર્યું

ગિરનારમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પ્રવાસીઓએ સ્વાગત કર્યું છે. જોકે સરકારની વ્યવસ્થાની સાથે પ્રવાસીઓ પણ જવાબદારીપૂર્વક વર્તે, વન્યજીવોને પજવવાથી દૂર રહે અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરે, તો આવી દુઃખદ ઘટનાઓને ટાળી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girnar lion attack Gujarat forest department Girnar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ