બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પંજાબનાં મુખ્યમંત્રીએ વારંવાર ઑક્સિજનની અછતની વાત કેન્દ્રને કરી
ભારતમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 4 લાખ સુધી પહોંચી રહ્યો છે. આખા દેશમાં બેડ, ઑક્સિજન અને ઇન્જેકશનોની અછત ચાલી રહી છે, તેવામાં બહારના દેશો આ અછતને પહોંચી વળવા મદદે આવ્યા છે. પંજાબ સરકાર સતત કેન્દ્ર પાસે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનની માંગણી કરી રહી છે ત્યારે કેન્દ્રે ગુજરાત સરકારને નિર્દેશ કર્યો છે કે ગુજરાતમાંથી 20 મેટ્રિક ટન ઑક્સિજન પંજાબને આપવામાં આવે. આ પહેલા પણ પંજાબનાં મુખ્યમંત્રીએ વારંવાર ઑક્સિજનની અછતની વાત કેન્દ્રને કરી હતી.

ADVERTISEMENT
પાંચ ટેન્કરો માંગ્યા હતા પણ માત્ર બે જ ટેન્કરો આપવામાં આવ્યા
ઑક્સિજનની માંગને પહોંચી વળવા માટે પંજાબ કોવિડ કંટ્રોલ રૂમના અધ્યક્ષ રાહુલ તિવારીએ કહ્યું કે "અમને ગુજરાત પાસેથી 20 મેટ્રિક ટન ઑક્સિજન લેવા માટે પાંચ ટેન્કરો જોતાં હતા પણ માત્ર બે જ ટેન્કરો આપવામાં આવ્યા, એનો અર્થ એ થાય છે કે અમે માત્ર 2 દિવસ સુધી ઑક્સિજન ચલાવી શકીશું અને બીજા ત્રણ દિવસ એમનેમ જ રહીશું. સાથે જ ટેન્કરને ગુજરાતથી પંજાબ આવવા જવા માટે પાંચ દિવસ થઈ જશે.

ADVERTISEMENT
ઑક્સીજન યોગ્ય સમયે નહીં મળે તો દર્દીઓ મૃત્યુ પામશે
પંજાબ સરકારની માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને 20 મેટ્રિક ટન ઑક્સિજન આપવાના નિર્દેશ કેન્દ્રમાંથી મળ્યા છે. આ પહેલા પણ પંજાબ સરકારે કેન્દ્રમાં માંગ કરતાં કહ્યું હતું કે "અમારે ત્યાં ઑક્સિજનની અછત થઈ રહી છે, તેવામાં અમને વધારે ઑક્સિજનની જરૂર છે. કારણકે અમારી પાસે બધા જ દર્દીઓને આપી શકાય તેટલો ઑક્સિજન જ નથી. આ વાત તેમણે કેન્દ્ર સાથે થયેલ મિટિંગમાં કરી હતી એટલે જો જલ્દી ઑક્સિજન નહીં મળે તો દર્દીઓ મૃત્યુ પામશે.

ADVERTISEMENT
ભારતમાં એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 4 લાખ સુધી પહોંચી રહ્યો છે. આખા દેશમાં બેડ, ઑક્સિજન અને ઇન્જેકશનોની અછત ચાલી રહી છે, તેવામાં બહારના દેશો આ અછતને પહોંચી વળવા મદદે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.