બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રાજ્યના આ વિસ્તારમાં અશાંતધારો લાગુ
Last Updated: 02:30 PM, 6 May 2026
Una Ashant Dharo : ગુજરાત સરકારે કાયદો-વ્યવસ્થા અને કોમી શાંતિ જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ‘અશાંત ધારો’ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય 1 મે 2026થી અમલમાં આવ્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી લાગુ રહેશે.
ADVERTISEMENT
ગીર સોમનાથના ઉના શહેરમાં ‘અશાંત ધારો’ લાગુ#GirSomnath #Una #DisturbedAreaAct #GujaratNews #LawAndOrder #GovernmentDecision #PropertyRules #BreakingNews #IndiaNews #CivicRegulation pic.twitter.com/lZyVbxLYQN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 6, 2026
જાણો કયા વિસ્તારમાં જાહેર થયો ‘અશાંત ધારો’
ADVERTISEMENT
સરકાર દ્વારા ઉનાના વોર્ડ નં. 1, 2 અને 4ને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હવે મિલકતની ખરીદી કે વેચાણ માટે ખાસ નિયમો લાગુ પડશે. નવા નિયમો અનુસાર, કોઈપણ પ્રકારની મિલકત લેતી-દેતી કરવા પહેલાં પ્રાંત અધિકારીની મંજૂરી લેવી ફરજિયાત રહેશે.

ADVERTISEMENT
ખાસ કરીને, ખરીદનાર અને વેચનાર બંનેએ એફિડેવિટ આપવો પડશે, જેમાં તેઓએ ખાતરી આપવી પડશે કે વ્યવહાર કોઈ દબાણ વિના અને યોગ્ય બજાર કિંમતે કરવામાં આવ્યો છે. આ પગલાંનો મુખ્ય હેતુ ગેરરીતિઓ અટકાવવો અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવી છે.
આ પણ વાંચો : તારીખ નોંધી લેજો, ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલની માઠી આગાહી
ADVERTISEMENT
અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના ભંગ માટે 6 મહિના થી 5 વર્ષ સુધીની સજા તેમજ 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ મુદ્દે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર જે જે ચૌહાણએ જણાવ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે કોમી સુમેળ જાળવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.