બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'શિર્ષ નેતૃત્વનો નિર્ણય…', મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે કનુ દેસાઇનું મોટું નિવેદન
Gujarat News: છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવાના સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે, સૂત્રો પાસેથી અહેવાલો મળી રહ્યા છે કે દિવાળી પહેલા જ રાજકીય ફટાકડા ફુટી શકે છે અને નવા મંત્રીઓ ધનતેરસ સુધીમાં શપથ લઈ શકે છે, જો કે આ વચ્ચે નાણામંત્રીએ એક મોટું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
આ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખની શપથવિધિ સમયે જ નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે તેવા અહેવાલો આવ્યા હતા, જો કે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શક્યું ન હતું. આ પછી હવે આજે (15 ઓક્ટોબર 2025)એ ધનતેરસ પહેલા નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે તેવી માહિતી આવી છે. \
ADVERTISEMENT

ADVERTISEMENT
મંત્રીમંડળનું વિસ્તરણ શનિવારે સવારે થાય તેવી સંભાવના છે. ભાજપ ફરી નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા અપનાવી શકે છે. નાયબ મુખ્યમંત્રી તરીકે નામ ફાઈનલ થયું હોવાની ચર્ચા. આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરશે.
વધુ વાંચો : તો આજે નહીં, આ દિવસે થશે ગુજરાતના નવા મંત્રીમંડળનું વિસ્તરણ? વાંચો સૌથી મોટી અપડેટ
ADVERTISEMENT
મંત્રીમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે નાણામંત્રી કનુ દેસાઇની પ્રતિક્રિયા પણ આવી છે, જેમાં તેમણે શિર્ષ નેતૃત્વ મંત્રીમંડળ વિસ્તરણ કરવાનું નક્કી કરતા હોવાનું કહ્યું છે. તેમજ શિર્ષ નેતૃત્વનો નિર્ણય સર્વોપરી અને ગુજરાતના વિકાસ માટે જરૂરી નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.