રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને પરમીશન
રાજ્ય સરકારે કોરોના મામલે પ્રતિબંધો હળવા કર્યા
રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી
અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયું
ગત ગાઈડલાઇન 25 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી ત્યારે રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર કરી છે. 6 મનપાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તી અપાયા બાદ હવે અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.વેપારીઓને તકલીફ ન થાય તેને ધ્યાને રાખી નિર્ણય લેવાયો છે. લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
બન્ને શહેરોમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હોટેલ/રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલિવરી સેવાને છૂટ
તમામ પ્રકારના રાજકીય, સામાજીક(લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો,
રમત-ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ
તથા મનોરંજક સ્થળોમાં, ખુલ્લા સ્થળની ક્ષમતાના 75 ટકા લોકોને, બંધ સ્થળની ક્ષમતાના
બંધ સ્થળોએ 50 ટકા લોકોને મંજૂરી
હવેથી લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં
તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના 2 ડોઝ ફરજિયાત રહેશે
બસ અને લક્ઝરીમાં 100 ટકા ક્ષમતા સાથે મુસાફરીને મંજૂરી
જીમ, બાગ-બગીચા સંપૂર્ણ ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે
25-02-2022થી 01-03-2022 સુધી નવા નિયંત્રણો લાગૂ પડશે
અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપી દેવામાં આવી
રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતીની સમીક્ષા કરી ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં રાત્રિ કર્યુ તથા નિયંત્રણો તેમજ સમગ્ર રાજયમાં પણ તા,૨૫,૦૨,૨૦૨૨ના સવારના ૦૫:૦૦ કલાક સુધી કેટલાક નિયંત્રણો મુકવામાં આવેલ હતા. પુખ્ત વિચારણા બાદ ગૃહ વિભાગના તા.૧૭.૦૨.૨૦૨૨ના હુકમ ક્રમાંક: વિ ૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી રાજયના ૨ મહાનગરો અમદાવાદ શહેર અને વડોદરા શહેરમાં અમલમાં મુકવામાં આવેલ રાત્રિ કર્યુ તા.૨૫.૨.૨૦૨૨થી દૂર કરવામાં આવે છે. સમગ્ર રાજયમાં નીચે મુજબના નિયંત્રણો તા.૨૫.૦૨.૨૦૨૨ થી તા.૦૧.૦૩.૨૦૨૨ સુધી અમલમાં રહેશે
કયા શું છૂટ અપાઈ?
તમામ પ્રકારના રાજકીય, સામાજીક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦%ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના ૪.National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આજે ગુજરાતમાં માત્ર 293 કેસ
ગુજરાતમાં કોરોનાના આંકડો છેલ્લા 20 દિવસથી સતત ઘટી રહ્યો છે એક સપ્તાહ એવું હતું કે ત્રણેય લહેરના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા હતા. પણ હવે છેલ્લા 24 કલાકમાં 293 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 112 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 07 કેસ તો રાજકોટ શહેરમાં 11 કેસ, વડોદરા શહેરમાં 30 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 08 કેસ, ભાવનગર શહેરમાં 01 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 729 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 2942 સંખ્યા સુધી પહોંચી ગઈ છે. જ્યારે 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે.