ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની કેન્દ્રમાં બદલી
Last Updated: 10:26 PM, 17 January 2026
ADVERTISEMENT
ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી શ્રી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓ હવે કેન્દ્ર સરકારના હવાલે મુકવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને Department of Space હેઠળ કાર્યરત IN-SPACe (Indian National Space Promotion and Authorization Center), અમદાવાદ ખાતે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ નિમણૂક તેઓ પદભાર સંભાળ્યાની તારીખથી પાંચ વર્ષ અથવા આગામી આદેશ આવે ત્યાં સુધી, જે પહેલું થશે તે સમયગાળા માટે રહેશે. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અને નીતિગત અમલીકરણ માટે કાર્યરત IN-SPACe જેવી મહત્વપૂર્ણ સંસ્થામાં તેમની નિમણૂકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. અનુપમ આનંદે અગાઉ ગુજરાત રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ વહીવટી પદો પર રહીને સેવા આપી છે. તેમની કાર્યક્ષમતા અને પ્રશાસનિક અનુભવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ જવાબદારી સોંપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

ADVERTISEMENT
થોડાક સમય પહેલા રાજ્યના 26 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં સંજીવકુમારની સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ અગ્ર સચિવ અશ્વિની કુમાર ઉર્જા વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિલ સેક્રેટરી તરીકે વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીની ફાંસીની સજા મુદ્દે Dy. CM હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો