બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાશે, જાણો શું છે સમગ્ર મામલો ?
Last Updated: 11:32 AM, 7 April 2026
Ahmedabad News : અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોતની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે. આ ઘટનાને લઈને પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય બની છે અને સત્ય બહાર લાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ગઇકાલે કથિત રીતે બજારમાંથી ઢોંસા બનાવવાનું તૈયાર ખીરું લાવ્યા અને ખાધા બાદ બે બાળકીના મોત થયા હતા.
ADVERTISEMENT
આ તરફ અઢી મહિનાની એક બાળકીના મોત બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. પરંતુ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા હવે પોલીસ દ્વારા મૃતદેહને ફરી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (PM) કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન Forensic Science Laboratory (FSL)ની ટીમ પણ હાજર રહેશે, જેથી વૈજ્ઞાનિક રીતે તપાસ વધુ મજબૂત બની શકે.
આ સમગ્ર પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનગૃહમાં હાથ ધરાશે, જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય. બીજી બાળકીના મોતને લઈને પણ સમાન શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે બંને કેસોને ગંભીરતાથી તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનાનું કારણ ઢોસાના ખીરુ સાથે જોડાયેલું હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, હજી સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ બહાર આવશે.
ADVERTISEMENT

શું છે સમગ્ર મામલો ?
ADVERTISEMENT
વિગતો મુજબ પરિવારે બજારમાંથી ઢોંસા બનાવવા માટેનું તૈયાર ખીરું મંગાવ્યું હતું. ખીરાથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત બગડી ગઈ. આ ઘટનામાં 3 મહિનાની એક બાળકી અને 4 વર્ષની બીજી બાળકીનું કરુણ અવસાન થયું, જ્યારે માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર ગણાઈ રહી છે. આ ઘટના પછી લોકોમાં ભય અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની ચકાસણી અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ખાદ્યપદાર્થોની તપાસ માટે જવાબદાર વિભાગો પોતાની ફરજ પ્રત્યે બેદરકાર રહ્યા છે. ઘટનાના પગલે તંત્રની કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે. લોકો કહે છે કે, સંબંધિત વિભાગો ચૂંટણીના કામમાં વ્યસ્ત હોવાના કારણે સમયસર કાર્યવાહી કરવામાં મોડું થયું. હાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને ખીરામાં શું ભેળસેળ હતી તે જાણવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સળગતા સવાલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.