બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાંકરિયા કાર્નિવલ 2025 માટે થઈ જાઓ તૈયાર, ખ્યાતનામ કલાકારો કરશે લાઈવ પર્ફોર્મન્સ, અહીં જાણો તમામ માહિતી

અમદાવાદ / કાંકરિયા કાર્નિવલ 2025 માટે થઈ જાઓ તૈયાર, ખ્યાતનામ કલાકારો કરશે લાઈવ પર્ફોર્મન્સ, અહીં જાણો તમામ માહિતી

Priykant Shrimali

Last Updated: 09:09 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kankaria Carnival 2025 : સાત દિવસ ચાલનારા આ રંગારંગ કાર્નિવલમાં મહેમાનોને અનેક નવા અને ખાસ શો જોવા મળશે, અહીં જાણો તમામ વિગતો

Kankaria Carnival 2025 : દર વર્ષ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં મેટ્રો સિટી અમદાવાદમાં યોજાતા કાંકરિયા કાર્નિવલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઇ તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.

ક્યારે થશે કાર્નિવલ મહોત્સવનું ઉદ્ઘાટન?

આ વર્ષે પણ AMC દ્વારા કાર્નિવલને વિશિષ્ટ બનાવવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ 2025નો ઉદ્ઘાટન કાર્યક્રમ 25 ડિસેમ્બર, સાંજે 7 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.

આ વખતે શું-શું નવું હશે ?

સાત દિવસ ચાલનારા આ રંગારંગ કાર્નિવલમાં મહેમાનોને અનેક નવા અને ખાસ શો જોવા મળશે. એમાં ખાસ કરીને ડ્રોન શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો અને પાયરો શો (ફાયર ડાન્સ) સહિતના કાર્યક્રમો યોજાશે.

કાંકરિયા કાર્નિવલ 2025 કલાકારોનું પરફોર્મન્સ

અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ 2025 દરમિયાન ગુજરાતી સંગીત અને મનોરંજનના અનેક દિગ્ગજ કલાકારો લાઈવ પર્ફોર્મન્સ કરશે. જેમાં સંભવિત રીતે કિર્તીદાન ગઢવી, પ્રિયંકા બાસુ, સંકેત ખંડેર બેન્ડ, પાર્થ ઓઝા, શિવાની દેસાઈ, ગીતાબેન રબારી, નિરજ ગજ્જર, અક્ષય તમયચા, મિતાલી નાગ, મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી (સ્ટેન્ડઅપ કોમેડી), બ્રીજદાન ગઢવી, ઇશાની દવે સહિતના લોકો લાઈવ પર્ફોર્મન્સ કરશે.

કાંકરિયા કાર્નિવલ 2025માં રોજ રાત્રે ડ્રોન શો

આ સાથે દરરોજ રાત્રે 10 વાગ્યે ભવ્ય ડ્રોન શો આખા કાંકરિયા તળાવને રંગીન પ્રકાશોથી ઝગમગાવશે. 26 ડિસેમ્બરથી રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ યોજાશે.

આ પણ વાંચો : હવે સુરેન્દ્રનગરમાં 5થી વધુ માસૂમને રખડતા શ્વાને ભર્યા બચકાં, મનપાએ આપ્યો અદ્ધરતાલ જવાબ!

હવે છેલ્લે જાણો કે એન્ટ્રી ફી શું હશે ?

મહત્વનું છે કે, અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ 2025માં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી નથી. અહીં તમને આખો દિવસ મફતમાં મજા કરવા મળશે. હવે આપણે કાંકરિયા કાર્નિવલ 2025માં પ્રવેશની વાત કરીએ તો પ્રવેશનો સમય સવારે 4:00 થી રાત્રે 10:00 સુધીનો હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Drone Show Kankaria Carnival 2025
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ