બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે સુરેન્દ્રનગરમાં 5થી વધુ માસૂમને રખડતા શ્વાને ભર્યા બચકાં, મનપાએ આપ્યો અદ્ધરતાલ જવાબ!
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ખાસ કરીને ફળીમાં રમતા નાના બાળકોને બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. 5થી વધુ બાળકોને શ્વાનોએ બચકા ભર્યા હતા. જેના કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરે છે.
ADVERTISEMENT
ઘટનાથી ગભરાયેલા લોકો તરત જ ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ડોક્ટરો મુજબ મોટાભાગના બાળકોને થોડી ઈજા થઈ છે.

ADVERTISEMENT
વિસ્તારના લોકોએ તાત્કાલિક સુરેન્દ્રનગર મનપાને ફોન કરીને શ્વાન પકડવાની માંગ કરી હતી. પરંતુ મનપાના સંબંધિત વિભાગ તરફથી મળેલા જવાબથી લોકોમાં નારાજગી ફેલાઈ હતી. મનપા દ્વારા કહેવામાં આવ્યું હતું કે "શ્વાન પકડવાની વ્યવ્સ્થા જ ન હોવાનું કહેવામાં આવ્યું હતું"
વધુ વાંચો: 4 થેલા ભરીને પોલીસે ડોક્યુમેન્ટ કબ્જે કર્યા, બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસનો ધમધમાટ
ADVERTISEMENT
નાગરિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં હડકાયા શ્વાનોની સંખ્યા છેલ્લા કેટલાક મહિનાથી વધી રહી છે, છતાં મનપા તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાળકો પર હુમલાની ઘટના બાદ લોકોએ વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા, શ્વાનોને પકડવા માટે લેવા અને નિયમિત ડૉગ-કંટ્રોલ ડ્રાઇવ ચલાવવાની માંગ કરી છે.
હાલ બાળકોની સારવાર ચાલુ છે અને પરિવારજનોએ મનપા તંત્રને કડક પગલા લેવા અપીલ કરી છે, જેથી આવી ઘટના ફરી ન બને.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.