બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO: ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નહીં! જુઓ ઓપરેશન ક્લિન 'ચંડોળા'ના Live દ્રશ્યો
Last Updated: 10:50 AM, 29 April 2025
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવના ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ પર કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના ગઢ ચંડોળા તળાવ ખાતે AMCનું મેગા ડિમોલિશન, અનેક બુલડોઝર ખડકી દેવાયા#ahmedabad #ahmedabadpolice #amc #ahmedabadmunicipalcorporation #chandolatalav #chandolalake #illegalimmigration #megademolition #vtvdigital pic.twitter.com/87cEeKTmij
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2025
ડિમોલિશન દરમિયાન લગભગ 2000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂરી થઈ શકે. સાથે જ ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ રાખવામાં આવી, જેથી કોઈ અજાણ્યા સ્થળે પણ દબાણ છૂપાયેલું ન રહે. આ ઓપરેશન દરમ્યાન એક વધુ મહત્વની ઘટના બની લલ્લા બિહારીનું આલીશાન ફાર્મહાઉસ પણ જમીનદોસ્ત કરવામાં આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાર્મહાઉસ કાળી કમાણીના રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું અને માત્ર 45 મિનિટમાં તેનું સંપૂર્ણ તોડી પાડવામાં આવ્યું.
ADVERTISEMENT
60 JCB, 60 ડમ્પર, 2000થી વધુ પોલીસકર્મીઓ સહિત AMCની હેલ્થ ટીમ સ્ટેન્ડબાય#ahmedabad #ahmedabadpolice #amc #ahmedabadmunicipalcorporation #chandolatalav #chandolalake #illegalimmigration #megademolition #vtvdigital pic.twitter.com/1KsOu3s3rV
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2025
ચંડોળા તળાવ અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું છે અને આ વિસ્તાર "મિની બાંગ્લાદેશ" તરીકે ઓળખાય છે. ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર 1200 હેક્ટર જમીન પર ફેલાયેલો છે. અહીં ઘણા વર્ષોથી પશ્ચિમ બંગાળથી આવ્યાેલા મુસ્લિમો વસે છે, અને આ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે. આ વિસ્તારનો થોડો વિલકણ પાટ, તંગ ગલીઓ અને ગંદકીથી ભરેલો હોય છે, જે એના રસપ્રદ વાતાવરણને વધુ જટિલ બનાવે છે. કેટલાક ગલીઓ તો એટલી સાંકડી છે કે તેમાં સાઈકલ પણ ન જઈ શકે.
ADVERTISEMENT
ગેરકાયદે બાંધકામો વિરૂદ્ધ AMCનું મેગા ઓપરેશન, જુઓ ચંડોળા બુલડોઝર સ્ટ્રાઈકના આકાશી દ્રશ્યો#ahmedabad #droneview #ahmedabadpolice #amc #ahmedabadmunicipalcorporation #chandolatalav #chandolalake #illegalimmigration #megademolition #vtvdigital pic.twitter.com/EQOOGQ1VuP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2025
અત્યારની મળતી માહિતી અનુસાર ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરશે નિરીક્ષણ કરશે. સાથે કામગીરીમાં જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે. ચંડોળા તળાવ પછાત વળણોના કારણે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. તેવું કહેવામાં આવી રહ્યું છે કે, અહીં અનધિકૃત ઝૂંપડપટ્ટીઓ વસેલા લોકો માટે મક્કમ અને નમ્ર રીતે રહેવા માટે એક વિસ્તાર બની ચૂક્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના ચંડોળા ખાતે ગેરકાયદે બાંધકામ વિરૂદ્ધ તંત્રનો સપાટો, જુઓ Live બુલડોઝર સ્ટ્રાઈક#ahmedabad #ahmedabadpolice #amc #ahmedabadmunicipalcorporation #chandolatalav #chandolalake #illegalimmigration #megademolition #vtvdigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2025
Video Source - @ahmedabadpolice / Instagram pic.twitter.com/xRRPXezhel
ચંડોળા તળાવ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમોલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધર્મ આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
ADVERTISEMENT
Ahmedabad Demolition: ચંડોળામાં લલ્લા બિહારી પર પોલીસનો ચોંકાવનાવરો ઘટસ્ફોટ #ahmedabad #ahmedabadpolice #OperationCleanChandola #ChandolaLakeDemolition #amc #ahmedabadmunicipalcorporation #AMCAction #chandolatalav #chandolalake #illegalimmigration #megademolition #vtvdigital pic.twitter.com/L4yi0j2J2S
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 29, 2025
ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પર પણ પહોંચ્યો છે. અરજદારોએ ડિમોલિશનની કામગીરી રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજદારોનું કહેવું છે કે, પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી રહ્યા છે. સાથે ઘર તોડતા પહેલા કોઈ નોટિસ અપવવામાં આવી નથી. 1 હજારથી વધુ વધુ ગેરકાયદે બાંધકામો તોડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ સમગ્ર કામગીરી દરમિયાન લાખો ચોરસ મીટર પર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે. AMC અને પોલીસ દ્વારા જણાવ્યું છે કે આવાં ગેરકાયદે વસવાટ અને દબાણ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.