બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / PM મોદીની અપીલ બાદ ગુજરાતમાં ઇંધણ બચત અભિયાન તેજ, CMથી લઈને રાજ્યપાલ સુધી સૌએ કરી પહેલ
Last Updated: 10:44 AM, 13 May 2026
CM Bhupendra Patel : દેશમાં પેટ્રોલ અને ડીઝલની બચત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો ગુજરાતમાં વ્યાપક પ્રભાવ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મંત્રીઓ અને રાજ્યપાલ સુધી અનેક અગ્રણીઓએ ઇંધણ બચત માટે પ્રતીકાત્મક તેમજ વ્યવહારિક નિર્ણયો લેવા શરૂ કર્યા છે.
ADVERTISEMENT
માત્ર 2 કાર લઈને કાર્યક્રમમાં પહોંચ્યા CM
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. અમરેલીના કાર્યક્રમ દરમિયાન તેઓ માત્ર બે થી ત્રણ ગાડીઓ સાથે જ પહોંચ્યા હતા, જ્યારે સામાન્ય રીતે લાંબો કાફલો જોવા મળતો હતો. માહિતી મુજબ મુખ્યમંત્રીના કાફલામાંથી 10થી વધુ વાહનો દૂર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
PMની અપીલ પછી CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 13, 2026
મુખ્યમંત્રીએ કાફલો ઘટાડવાનો નિર્ણય કર્યો
2 કાર સાથે CM અમરેલી પહોંચ્યા
લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવા અપીલ કરી#BhupendraPatel #GujaratCM #PMModi #FuelSaving #IndiaNews #GreenInitiative #GujaratNews #VTVNEWS #VTVDigital pic.twitter.com/jAtOKF0IWr
હવે મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન મર્યાદિત ગાડીઓનો જ ઉપયોગ કરવામાં આવશે અને જિલ્લા સ્તરે જોડાતા વધારાના કાફલાને પણ સ્વીકારવામાં નહીં આવે. ગાંધીનગરમાંથી મળતી માહિતી અનુસાર, મુખ્યમંત્રી નિવાસસ્થાનથી નીકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર આ પહેલને માત્ર ઇંધણ બચત નહીં પરંતુ જનજાગૃતિ સાથે પણ જોડીને જોઈ રહી છે.
ADVERTISEMENT

હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
ADVERTISEMENT
આ તરફ PM મોદીની અપીલની અસર અન્ય નેતાઓ પર પણ જોવા મળી રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરીને સામાન્ય નાગરિકોને સંદેશ આપશે.
આ પણ વાંચો : ગુજરાતના 72 IAS અધિકારીઓની સાગમટે બદલી, જુઓ કોને ક્યાં મૂકાયા?
ADVERTISEMENT
આ ઉપરાંત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પાયલોટિંગ કારનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે, જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયા એ પણ પોતાની પાયલોટિંગ સેવા છોડી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.