બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સરકાર દરેક સ્માર્ટફોનમાં કેમ ઈચ્છે છે Aadhaar એપ?, સેમસંગથી માંડીને અન્ય કંપનીઓ કેમ છે વિરોધ
Last Updated: 10:22 AM, 23 March 2026
ભારત સરકાર એક મોટું ડિજીટલ પગલું લેવાનું વિચારી રહી છે. રિપોર્ટ મુજબ સરકાર ઈચ્છે છે કે દેશમાં વેચાતા દરેક નવા સ્માર્ટફોનમાં આધાર એપ પહેલેથી જ ઇન્સ્ટોલ હોય. એટલે યુઝરને નવો ફોન ખરીદ્યા પછી અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે.
ADVERTISEMENT
આ પ્રસ્તાવ સામે મોટી ટેક કંપનીઓએ વાંધો ઉઠાવ્યો છે. Apple, Samsung અને Google જેવી કંપનીઓએ સુરક્ષા અને પ્રાઈવસી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કોઈ સરકારી એપને ફરજિયાત રીતે ફોનમાં નાખવી યુઝરની સ્વતંત્રતા અને ડેટા સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો બની શકે છે.
ADVERTISEMENT
સ્માર્ટફોન કંપનીઓના સંગઠન MAIT એ પણ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેમના મુજબ આ પગલાંથી કંપનીઓને ભારત માટે અલગ પ્રોડક્શન લાઇન બનાવવી પડશે જેના કારણે ખર્ચ અને લોજિસ્ટિક સમસ્યાઓ વધશે. ઉપરાંત આનાથી મોટો જાહેર લાભ પણ દેખાતો નથી.
ADVERTISEMENT
આ વર્ષે જાન્યુઆરીમાં UIDAI એ આધારની નવી એપ લોન્ચ કરી હતી. આ એપથી યુઝર પોતાની માહિતી અપડેટ કરી શકે છે ફેમિલી પ્રોફાઇલ મેનેજ કરી શકે છે અને બાયોમેટ્રિક ડેટાને લોક કરીને સુરક્ષા વધારી શકે છે. સરકાર માને છે કે એપ પહેલાથી ફોનમાં હશે તો તેનો ઉપયોગ સરળ બની જશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી બદલાઇ જશે પગાર સ્લિપ: નવા નિયમોની તમારી સેલેરી પર શું પડશે અસર?
ADVERTISEMENT
આધાર ભારતની ઓળખ પ્રણાલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે પરંતુ અગાઉ ડેટા લીકની ઘટનાઓ પણ સામે આવી છે. તેથી કંપનીઓ અને નિષ્ણાતો ચિંતિત છે કે આ પગલાંથી યુઝર્સની ખાનગી માહિતી જોખમમાં ન પડે.
ADVERTISEMENT
આ મામલો થોડો Sanchar Saathi એપના વિવાદ જેવો લાગે છે. પહેલા પણ સરકારએ આ એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિરોધ બાદ આ વિચાર પાછો ખેંચવો પડ્યો હતો. હાલ આધાર એપ માટે આ ફરજિયાત નથી પરંતુ સૂચન તરીકે રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ સચેત જેવી અન્ય સરકારી એપ્સને પણ પ્રી-ઇન્સ્ટોલ કરવાની વાત થઈ છે જેને કંપનીઓએ નકારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.