મોદી સરકારે લોકશાહીમાં પ્રવેશ મેળવવા માટે અત્યાર સુધીનો મોટો ફેરફાર કરી દીધો છે. હવે મોટા અધિકાર બનવા માટે UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાની જરૂર પડશે નહીં પ્રાઇવેટ કંપનીમાં કામ કરનાર સીનિયર અધિકારી પણ સરકારનો હિસ્સો બની શકે છે. બહુચર્ચિત લેટરલ એન્ટ્રીની સત્તાવાર સૂચના સરકાર તરફથી જારી કરી દેવામાં આવી છે. રવિવારે આ પજો પર નિયુક્તિ માટે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ માટે વિસ્તારથી ગાઇડલાઇન્સની સાથે સૂચના જારી કરવામાં આવી. સરકાર હવે એના માટે સર્વિસ રૂલમાં જરૂરી ફેરફાર પણ કરશે. જાણવા મળી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીની શરૂઆતથી હિમાયત રહ્યા છે.
ડીઓપીટી તરફથી જારી અધિસૂચના અનુસાર મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરીના પદ પર નિયુક્તિ થશે. એની ટર્મ 3 વર્ષની હશે અને જો સારું પ્રદર્શન હશો તો 5 વર્ષ માટે એમની નિયુક્તિ કરવામાં આવી શકે છે. આ પદો પર આવેદન માટે વધારેમાં વધારે ઉંમરની સીમા નક્કી કરવામાં આવી નથી જ્યારે ન્યૂનતમ ઉંમર 40 વર્ષની છે. એનું વેતન કેન્દ્ર સરકારના અંતર્ગત જોઇન્ટ સેક્રેટરી વાળું હશે. બધી સુવિધા એ અનુરૂપ જ મળશે. એને સર્વિસ રૂલની જેમ કામ કરવું પડશે અને બીજી સુવિધા એ અનુરૂપ મળશે.
જાણવા મળી રહ્યું છે કે કોઇ મંત્રાલય અથવા વિભાગમાં જોઇન્ટ સેક્રેટરીનું પદ ખૂબ મહત્વનું હોય છે અને તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવામાં અથવા એના અમલમાં અનું મહક્વનું યોગદાન હોય છે. એમની પસંદગી માટે માત્ર ઇન્ટરવયૂ થશે અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનનારી કમિટી એમનું ઇન્ટવ્યૂ લેશએ. યોગ્યતા અનુસાર સામાન્ય ગ્રેજ્યુએટ અને કોઇ સરકારી પબ્લિક સેક્ટર યૂનિટ યૂનિવર્સિટી ઉપરાંત કોઇ પ્રાઇવેટ કંપનીમાં 15 વર્ષના કામનો અનુભવ રાખનારી આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન આપવાની છેલ્લા તારીખ 30 જુલાઇ છે.
શરૂઆતી પહેલ અનુસાર હાલ સરકાર 10 મંત્રાલયોમાં એક્સપર્ટ જોઇન્ટ સેક્રેટરીને નિયુક્ત કરશે. ફાઇનાન્સ સર્વિસ ઇકોનોમી અફએર્સ એગ્રિકલ્ચર્સ રોડ ટ્રાન્સપોર્ટ શિપિંગ પર્યાવરણ રિન્યૂઅબલ એનર્જી સિવિલ એવિએશેન અને કોમર્સ. આ મંત્રાલયો અને વિભાગોમાં નિયુક્તિ કરી વિશેષત્રતા હિસાબથી જ પોસ્ટિંગ થશે.