મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો છે
મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર
સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો
નાની બચત યોજનાઓમાં અગાઉના વ્યાજદર યથાવત રહેશે
મધ્યમવર્ગ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે નાની બચત યોજનાઓમાં વ્યાજદર ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાની બચત યોજનાઓમાં અગાઉના વ્યાજદર યથાવત રહેશે. સરકારે PF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની યોજનાઓમાં વ્યાજદર ઘટાડ્યા હતા.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021.
Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia@PIB_India
સરકારે નાની બચત સ્કીમના વ્યાજ દરમાં ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આજથી એટલે કે 1લી એપ્રિલથી સરકારી બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો થયો છે. PF પર મળનારા વ્યાજ દરમાં પણ ઘટાડો થવાનો હતો પણ હાલ મોકૂપ રાખવામાં આવ્યો છે. .
સરકારે PPFના વ્યાજદરમાં કર્યો ભારે ઘટાડો
નાની બચત યોજના પર વ્યાજદર 4%થી ઘટાડી 3.5% જ્યારે PF યોજનાના વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાનો હતો. 1974 બાદ પ્રથમવાર PPF પર સૌથી ઓછો વ્યાજદર થયો છે. PPF યોજનાના વ્યાજદર 7%થી ઘટાડી 6.4% કરવાનો હતો.
વન યર ટાઇમ ડિપોઝિટનો વ્યાજ દર 5.4%થી ઘટાડી 4.4% કરવાનો હતો. સીનિયર સેવિંગ સ્કીમ પર 7.4%ના બદલે 6.5% વ્યાજ દર કરવાનો હતો. કિસાન વિકાસ પત્ર પર 6.9%ના બદલે 6.2% વ્યાજ થવાનો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6%ના બદલે 6.9% વ્યાજ મળવાનું હતુ. જયારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8%ના બદલે 5.9% વ્યાજ મળત.