બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ગુજરાત / અમદાવાદના સમાચાર / gold rate hike in Ahmedabad
ADVERTISEMENT
બુધવારે અમદાવાદના બજારમાં સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ રહી. 10 ગ્રામ સોનાનો ભાવ 50,400 રૂપિયા હતો તે પણ 3 ટકા GST સાથે. મંગળવારે સોનાનો ભાવ 49,800 રૂપિયા હતો જેમાં 600 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અહીં પહેલીવાર સોનાના ભાવે 50,000 રૂપિયાની સપાટી વટાવી છે. નિષ્ણાતોના મતે, કોરોના વાયરસ મહામારીના કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે અને વૈશ્વિક મંદીની વધતી ચિંતા વચ્ચે સોનામાં રોકાણ સૌથી સુરક્ષિત છે. આ જ કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.
મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું
ADVERTISEMENT
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના અધિકારીઓનું કહેવું છે કે, સોનામાં રોકાણ સુરક્ષિત મનાતું હોવાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવ વધ્યા છે. પ્રતિ આઉન્સ (લગભગ અઢી તોલા) સોનાનો ભાવ 1,780 ડોલરે પહોંચ્યો છે. મંદીની સ્થિતિને જોતાં ઘણી સેન્ટ્રલ બેંકોએ સોનામાં ભારે રોકાણ કર્યું છે, પરિણામે ભાવ ઊંચા ગયા છે.”
આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે
ADVERTISEMENT
આગામી મહિનાઓમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. “HNI (હાઈ-નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ)નું ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF)માં તરલ રોકાણ છે. જો કે, બુલિયન અથવા જ્વેલરીની માગ તો ઓછી જ છે. ઓછામાં ઓછા બે મહિના સુધી તો ગ્રાહકો દ્વારા થતી સોનાની માગ વધે તેવી કોઈ શક્યતા દેખાતી નથી કારણકે ઊંચી કિંમત લોકોને પરવડે તેમ નથી.
લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો
ADVERTISEMENT
નિષ્ણાતોના મતે, ઊંચી કિંમત અને લોકડાઉનમાં લોકોની આવક ઘટતાં જ્વેલરીની માગમાં તો ઘટાડો આવ્યો જ છે. જ્વેલર્સ અસોસિએશન ઓફ અમદાવાદ (JAA)નું કહેવું છે કે, સોના પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી અને વધતી કિંમતના કારણે લોકડાઉન પહેલા જ સોનાના દાગીનાની માગને ફટકો પડ્યો હતો. હવે લોકડાઉન પછી લોકોની આવકમાં ખાસ વધારો થયો નથી અને બિઝનેસ રેવન્યૂ ઘટી રહી છે એવામાં માગ હજુ નીચે જઈ શકે છે. સોનું લક્ઝરી કોમોડિટી હોવાથી દાગીના ખરીદવા છેલ્લી પસંદ હોઈ શકે છે.”
સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે
ADVERTISEMENT
જ્વેલર્સના માલિકોનું પણ કહેવું છે કે દુકાનોમાં ગ્રાહકોની સંખ્યા ઘટી છે. વેપારીઓના મતે, સોનાના ઊંચા ભાવ આ સેક્ટરની રોજગારી પર અસર પાડી શકે છે. નામ ન આપવાની શરતે એક સોની વેપારીએ કહ્યું, “મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં કામ કરતાં મોટાભાગના કારીગરો પરપ્રાંતિયો છે અને તેઓ હજી પરત આવ્યા નથી. કેટલાકને પરત નહીં બોલાવાય કારણકે હાલ માર્કેટમાં કામ જ નથી.”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.