બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 07:41 PM, 14 May 2022
હિંદુ ધર્મમાં ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. કોઈપણ શુભ અને માંગલિક કાર્યની શરૂઆત ગણેશ પૂજાથી કરવામાં આવે છે. જેથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ગણેશજીની પૂજા નિયમાનુસાર કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. તેનાથી પ્રસન્ન થઈને તે ભક્તોની ઈચ્છા પૂરી કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ બાપ્પાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશની કૃપાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિનો વાસ થાય છે.
સાચા મનથી કરો ગણેશજીની પૂજા
એવું માનવામાં આવે છે કે સાચા મનથી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. ભોગમાં ગણેશજીને મોદક અર્પણ કરો. તેમજ પૂજામાં ધરો ચઢાવો.
મોદક ઉપરાંત અન્ય કેટલીક વસ્તુઓ અર્પણ કરીને પણ ગણેશજીની કૃપા મેળવી શકાય છે. આવો જાણીએ મોદક સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ચઢાવવામાં આવે છે જેના શુભ ફળ મળે છે.
લાડવા
ભગવાન ગણેશને મોદક ઉપરાંત લાડવા પણ વધુ પસંદ છે. તેથી ગણપતિની પૂજા દરમિયાન તેમને લાડવા પણ અર્પણ કરી શકાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગણેશજીને લાડુ વધુ પ્રિય છે. લાડુમાં તેને ચણાના લોટના લાડુ વધુ પસંદ છે. તેથી પૂજાના સમયે ભગવાન ગણેશને ચણાના લોટના લાડુ પણ અર્પણ કરી શકાય છે.
ખીર
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને ખીર પણ વધુ પ્રિય છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે માતા પાર્વતી ખીર બનાવતા હતા ત્યારે ગણેશજીને ખીર પ્રિય હોવાના કારણે તે ખીરથી ભરેલો પ્યાલો પુરો ખાલી કરી દેતા હતા. એવામાં તમે પણ ભગવાન ગણેશજીને ખીરનો ભોગ લગાવી શકો છો.
કેળા
હિન્દુ ધર્મમાં કેળાને પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે. બધા દેવી-દેવતાઓને કેળા અર્પણ કરવામાં આવે છે. ભગવાન શ્રી ગણેશજીને કેળા અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન ગણેશને પણ કેળા ખૂબ જ પસંદ છે. માટે ગણેશજીને પ્રસન્ન કરવા માટે કેળાનો પણ સમાવેશ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime