બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Gita Press gets Gandhi shanti Award 2021 decision chaired by PM Modi
Kishor
Last Updated: 10:40 PM, 18 June 2023
સનાતન સંસ્કૃતી પ્રચાર પ્રસાર માટે કાર્યરત અને દુનિયાભરમાં ધાર્મિક પુસ્તકોના પ્રકાશનના સૌથી મોટા કેન્દ્ર વિશ્વપ્રસિદ્ધ ગીતા પ્રેસને 2021નો મહાત્મા ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવશે. આ એવોર્ડ કોને આપવો તે નક્કી કરવાનું કામ એક કમિટી કરે છે જેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગીતા પ્રેસને અહિંસક અને અન્ય ગાંધીવાદી વિચારોથી બદલાવની દિશામાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ 100 વર્ષ પૂર્ણ કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીએ ગીતા પ્રેસને શુભકામનાઓ પાઠવી છે.
भारत के सनातन धर्म के धार्मिक साहित्य का सबसे महत्वपूर्ण केंद्र, गोरखपुर स्थित गीता प्रेस को वर्ष 2021 का 'गांधी शांति पुरस्कार' प्राप्त होने पर हृदय से बधाई।
— Yogi Adityanath (@myogiadityanath) June 18, 2023
स्थापना के 100 वर्ष पूर्ण होने पर मिला यह पुरस्कार गीता प्रेस के धार्मिक साहित्य को एक नई उड़ान देगा।
इसके लिए आदरणीय…
એક કરોડ રૂપિયા અને પ્રસસ્તી પત્ર સહિત અનેક વસ્તુઓ અપાઈ છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 125મી જયંતીના અવસર પર તેમણે આપેલા આદર્શોને શ્રદ્ધાંજલિ તરીકે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે. વર્ષ 1995 માં ભારત સરકારે દર વર્ષે આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું હતું. રાષ્ટ્રીયતા, જાતિ, ભાષા, પંથ અથવા લિંગ ભેદભાવ જોયા વગર ગાંધી શાંતિ પુરસ્કાર કોઈને પણ આપવામાં આવી શકે છે. આ પુરસ્કારમાં એક કરોડ રૂપિયા અને પ્રસસ્તી પત્ર સહિત અનેક વસ્તુઓ આપવામાં આવે છે.
80 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગત ૧૮ જુને ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વ સંમતિથી ગીતા પ્રેસને વર્ષ 2021 નો આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ એવોર્ડના અગાઉના વિજેતાઓની વાત કરીએ તો રામકૃષ્ણ મિશન, ઈસરો, બાંગ્લાદેશની ગ્રામીણ બેંક, કન્યાકુમારી, વિવેકાનંદ કેન્દ્ર, અક્ષય પાત્ર, બેંગ્લોર, ભારત અને સુલભ ઇન્ટરનેશનલ, નવી દિલ્હી, એકલ અભિયાન ટ્રસ્ટ જેવી સંસ્થાઓને નવાજવામાં આવી ચુક્યા છે. મહત્વનું ચેહ કે ગીતા પ્રેસની સ્થાપના રાજસ્થાનના ચરૂ જિલ્લામાં રહેતા જય દયાલ જી ગોયંદજાએ વર્ષ 1923માં કરી હતી. અત્યાર સુધીમાં ગીતા પ્રેસમાં 80 કરોડથી વધુ પુસ્તકોનું પ્રકાશન થઇ ચૂક્યું છે. જેમાં રામાયણ, મહાભારત અને પુરાણનો પણ સમાવેશ થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime