બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી ગિરનાર પર સિંહોથી યાત્રિકોને બચાવવા તૈનાત કરાશે 25 ટ્રેકર્સ
Last Updated: 03:13 PM, 8 August 2026
ગીરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે વનવિભાગ ૨૫ ફોરેસ્ટ ટ્રેકર્સની ભરતી કરશે. જુલાઈમાં ૧૨ વર્ષના બાળક પર સિંહના જીવલેણ હુમલા અને ત્યાર બાદ પગથિયાં પર સિંહોની અવરજવર નોંધાતાં આ નિર્ણય લેવાયો છે. ગીરનાર પર દરરોજ સરેરાશ બે હજારથી વધુ અને પીક સિઝનમાં ૧૨ હજાર સુધી યાત્રિકો આવતા હોવાથી સુરક્ષા વધારાશે.
ADVERTISEMENT
ટ્રેકર્સ સિંહોની હિલચાલ પર નજર રાખી તેમને યાત્રિકોના માર્ગથી દૂર રાખશે. હાલ સાસણમાંથી ટ્રેકર્સની ટીમ ગીરનાર વિસ્તારમાં તહેનાત છે. નવી ભરતીમાં ૧૧ મહિનાના કરાર પર પસંદગી પામનારને માસિક રૂ. ૧૫,૯૧૪ વેતન મળશે.
વનવિભાગે ગીરનારનાં ત્રણેય પગથિયાં પર નવ કાયમી ચેકપોસ્ટ સ્થાપવા તથા યાત્રિકોના માર્ગ નજીક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) કેમેરા લગાવવાની દરખાસ્ત પણ રાજ્ય સરકારને મોકલી છે. સિંહ કે દીપડાની હિલચાલ જણાય તો તાત્કાલિક એલર્ટ મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ખેડૂતોને વનવિભાગે રોક્યાં, સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ફરી વિવાદ
ગીરનાર પર સિંહોની હિલચાલને પગલે યાત્રિકોને રાત્રિના સમયે એકલા નહીં પરંતુ જૂથમાં જ અવરજવર કરવાની સલાહ આપવામાં આવી છે. વનવિભાગે લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા અને સુરક્ષા માટે આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે ટ્રેકર્સની તહેનાતીનો મુખ્ય હેતુ સિંહોની હિલચાલ પર સતત નજર રાખીને તેમને જંગલ તરફ વાળવાનો અને માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવાનો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.