બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના પલસાણામાં સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં યુવતીનો આપઘાત, કારણ અકબંધ
Last Updated: 10:54 PM, 6 April 2026
સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર કેમ્પસમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
માતા-પિતા સાથે મંદિર કેમ્પસમાં જ રહેતી હતી યુવતી
પ્રાથમિક માહિતી અનુસાર, યુવતી પોતાના માતા-પિતા અને ભાઈ સાથે મંદિરના કેમ્પસમાં જ રહેતી હતી. યુવતીના પિતા છેલ્લા લગભગ 11 વર્ષથી મંદિરમાં સેવા આપી રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવાર લાંબા સમયથી અહીં વસવાટ કરી રહ્યો હતો.
ADVERTISEMENT

ઘટનાના દિવસે યુવતીએ પોતાના રહેવા સ્થળે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પરિવારજનો અને મંદિર સંચાલકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

પરિવારજનોનાં નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ
ADVERTISEMENT
હાલ સુધી યુવતીએ આ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના લોકો તથા પરિવારજનોના નિવેદનો લઈ રહી છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, આ મોટા નેતાએ આપ્યું રાજીનામું
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
આ દુઃખદ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ ઉભું કર્યું છે. પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાના કારણ અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.