બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghari is as popular as Khari Sing in Bharuch
Kishor
Last Updated: 12:04 AM, 27 October 2023
ભરૂચમાં ખારી સિંગ જેટલી જ ઘારી પણ વિશ્વમાં પ્રચલિત બની ગઈ છે. ઘારી બનાવવામાં વાપરવામાં આવતા એલચી બદામ પિસ્તા સહિતનું ડ્રાયફ્રુટ પીસવા માટે જ 20થી 25 દિવસ લાગે છે અને શરદપૂર્ણિમાના 5 દિવસ પૂર્વે જ ઘારીને મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે. અને આ વખતે ઘી અને ડ્રાયફ્રુટના ભાવમાં વધારો થતા ઘારીમાં કિલો દીઠ રૂપિયા 20નો વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે.
રાણા પંચની ઘારી સ્વાદ સાથે સસ્તી પણ હોવાના કારણે માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ ભરૂચમાં ઘારી ખરીદતા હોય છે અને રાણા પંચ દ્વારા તૈયાર થતી ઘારી મુંબઈ હૈદરાબાદ, જયપુર, ઇન્દોર, સિંગાપોર સુધી સપ્લાય થાય છે અને ઘારીનો સ્વાદ કંઈક અલગ જ હોવાનો ગ્રાહકો અનુભવ કરી રહ્યા છે.આ વખતે ઘીમાં 70 રૂપિયાનો ભાવ વધારો તથા ડ્રાયફ્રુટમાં 50% વધારો થતા ઘારીમાં કિલો દીઠ ₹20 નો વધારો કરાયો હોવાનું માનવામાં આવે છે
શરદપૂર્ણિમાએ ઘારીની બનાવટમાં સમગ્ર સમાજના લોકો જોડાઈ જતા હોય છે અને ઘારીના વ્યવસાયમાંથી નીકળતો નફો સમાજના હિતમાં જ વપરાતો હોય છે. આ વખતે ઘારીના વ્યવસાયના નફામાંથી સમાજના 60 જેટલા લોકોને તિરૂપતિ બાલાજીના દર્શન કરાવવા માટે લઈ જવાનાર હોવાનું સમાજના પ્રમુખ સનત રાણાએ જણાવ્યું હતું.એક ગ્રાહક શંકર ભાઈ બોમ્બેવાળાએ કહ્યું કે રાણા સમાજ દ્વારા જે ઘારી બનાવવામાં આવે છે એ હું છેલ્લા 30 વર્ષથી ખરીદી રહ્યો છું.અને માર્કેટમાં મળતી ઘારીના ભાવમાં અને અહીની ઘારીના ભાવમાં 40થી 50 રૂપીયાનો ફરક પડે છે. રાણા સમાજનું ઘારી ભરૂચમાં મળતી બેસ્ટ ઘારી છે અને એની ટેસ્ટ પણ ખૂબ જ સારો છે.
વધુમાં ગ્રાહકે કેહ્યું કે હું અંકલેશ્વરથી ભરૂચ રહેવા આવ્યો છું ત્યારથી રાણા સમાજ દ્વારા બનાવવામાં આવતી ઘારી લઈ જાવ છું.અહીંયાની ઘારી નો ટેસ્ટ બધા કરતા બધા કરતા અલગ હોય છે. હું બીજી કોઈ જગ્યાએ થી લેતો નથી અહીંયાથી જ ઘારી ની ખરીદી કરું છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime