ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:17 PM, 20 September 2026
ADVERTISEMENT
જો તમે એકલા હોવ અને સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનરની જાહેરાત જોઈ પાર્ટનર શોધશો તો છેતરાઈ જશો નવરાત્રિ પહેલા સોશિયલ મીડિયા પર ગરબા પાર્ટનર ની ટ્રેન્ડ ખતરો સાબિત થઈ શકે છે જેને લઈ સાયબર ક્રાઈમ સજાગ બન્યું છે
ADVERTISEMENT
શું છે વાયરલ મેસેજ?
નવરાત્રિમાં ગરબા પાર્ટનરનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર શરૂ થયો છે. જો તમે આવી ઓફરથી પ્રેરાઇ પાર્ટનર શોધશો તો તમારી સાથે સાયબર ફ્રોડ થવાનો ખતરો છે. નવરાત્રિ માં ગરબા પાર્ટનર ભાડે આપવાની સોશિયલમીડિયા પર પોસ્ટ વાયરલ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે વાયરલ પોસ્ટની તપાસ શરૂ કરી છે ..પોસ્ટ કરનારા અમદાવાદ , મુંબઈ અને સુરત યૂઝર હોવાનું સામે આવ્યું છે .ગરબા પાર્ટનર ની પોસ્ટ કરનાર લોકો પોતાના ફોટો સાથે શેર કરી રહ્યા છે હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે . હજી સુધી છેતરપિંડી કોઈ ફરિયાદ મળી નથી સાયબર ક્રાઈમ ની ટીમ આવી વાંધાજનક પોસ્ટનું મોનેટરીંગ કરતી હોય છે..આવી પોસ્ટ ન મૂકવી જોઈએ સાયબર ગઠિયાઓ પોસ્ટ આધારે ઠગાઈ આચરતા હોય છે.
ADVERTISEMENT
APK ફાઇલ થી લોકોએ બચવું જોઈએ
નવરાત્રિમાં આવી પોસ્ટ કે ગરબા પાસની APK ફાઇલ થી લોકોએ બચવું જોઈએ ..નવા નંબર થી આવી પોસ્ટ આવે તો તેના થી બચવું..જો આ પ્રકાર ની ઘટના કોઈ સાથે બને છે તો તાત્કાલિક સાયબર ક્રાઈમ નો સંપર્ક કરવો.. સાયબર ક્રાઈમ ને અત્યાર નથી મળી , કોઈ ફરિયાદ મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
યોગી દેવનાથ બાપુએ વિવાદ પર શું કહ્યું?
નવરાત્રીમાં ‘પાર્ટનર ભાડે’ના વાયરલ મેસેજ અંગે યોગી દેવનાથ બાપુનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમાજ, સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ વિરુદ્ધનું કાવતરું છે . કેટલાક અસામાજિક તત્વો સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સનાતન ધર્મ અને પરંપરા વિરુદ્ધ કામ કરનાર સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે અસામાજિક તત્વો સામે પ્રશાસન કડક પગલાં ભરે તેવી પણ માંગ કરી હતી.
ADVERTISEMENT
શું હતો વિવાદ?
ADVERTISEMENT
સુરતમાં નવરાત્રી પર્વ પહેલાં 'ભાડે ગરબા પાર્ટનર'ના આપવાના મેસેજ વાયરલ થયા હતા. સ્થાનિક સામાજિક આગેવાનો અને ધાર્મિક સંગઠનોના જણાવ્યા અનુસાર, આ મેસેજીસ ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શ્રદ્ધા પર સીધો પ્રહાર છે. આજની યુવા પેઢી જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને વિજ્ઞાન તરફ સકારાત્મક રીતે આગળ વધી રહી છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અને વિકૃત મનોવૃત્તિ ધરાવતા લોકો યુવાધનને ગેરમાર્ગે દોરવા માટે આવા અનૈતિક પ્રચારો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.