ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા, પાણીનો પ્રવાહ અચાનક વધતાં રસ્તો બંધ થયો
Last Updated: 07:36 PM, 20 September 2026
ADVERTISEMENT
જુનાગઢના ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા હતા. આત્મેશ્વર મહાદેવ મંદિર નજીક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં લોકો ફસાયા હતા. ફસાયેલા લોકોને વન વિભાગ અને ફાયર બ્રિગેડે સહી-સલામત બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
ગિરનાર પર અચાનક ધોધમાર વરસાદ
બપોરના સમયે ગિરનાર પર અચાનક ધોધમાર વરસાદ થતાં પહાડી માર્ગો પર પાણીનો અતિ રૌદ્ર પ્રવાહ શરૂ થઈ ગયો હતો. મંદિરેથી પરત ફરી રહેલા યાત્રિકો સામા કાંઠે જ અટવાઈ પડ્યા હતા. છેલ્લા કેટલાક કલાકોમાં જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વતમાળા પર 2.76 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે પવિત્ર દામોદર કુંડમાં નવા નીરની ભારે આવક થઈ છે અને કાળવા નદી બે કાંઠે વહેતી થઈ છે. ગિરનારના પહાડો પરથી અનેક કુદરતી ઝરણાંઓ પણ જીવંત બન્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
ગુજરાતમાં ભારે વરસાદ
ADVERTISEMENT
આજે દિવસ દરમિયાન જુનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. કાળવા ચોક, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભવનાથ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ફરી વરસાદ થતાં જૂનાગઢ પંથકના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.