ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંકલેશ્વરમાં બે યુવાનના કાર્ડિયાક એરેસ્ટથી મોત, પેઇન કિલરનો નશો કર્યો હોવાની આશંકા
Last Updated: 07:57 PM, 20 September 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં બે યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યા છે, જ્યારે ત્રીજા યુવાનની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. મૃતક યુવાનોએ પેઈનકિલરનો નશો કર્યો હોવાની આશંકા છે.
ADVERTISEMENT
પેઇન કિલરનો ઓવરડોઝ લીધો
આ યુવાનોએ થાક ઉતારવાના ઇરાદાથી અતિશય માત્રામાં પેઇન કિલરનો ઓવરડોઝ લીધો હોવાની શંકા છે. આને કારણે તેમના હૃદય બંધ પડી જતાં મોત નીપજ્યાં હતા. સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવાનોના મૃતદેહને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરીને પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગિરનાર જંગલમાં ભારે વરસાદથી 40 લોકો ફસાયા, પાણીનો પ્રવાહ અચાનક વધતાં રસ્તો બંધ થયો
વિસેરા રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે
ADVERTISEMENT
અંકલેશ્વર DySP ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે બંને મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે ડેથ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવામાં આવશે અને તેને તપાસ માટે મોકલવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.