બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દોસ્ત બનાવો દોસ્ત! આ 3 બીમારીઓ જિંદગીભર ફરકશે પણ નહીં, આયુર્વેદીક એક્સપર્ટનું તારણ
Last Updated: 12:05 AM, 13 October 2025
શું તમે જાણો છો કે મિત્રતા તમને માત્ર હુંફ અને ટેકો જ નથી આપતી પરંતુ શરીર માટે પણ અત્યંત ફાયદાકારક છે? આયુર્વેદિક નિષ્ણાતોનું કહેવું છે કે સારા મિત્રો તમારા માટે દવા તરીકે કેવી રીતે કામ કરી શકે છે. ચાલો આપણે એવી સ્વાસ્થ્ય સમસ્યાઓની વાત કરીએ જે સારા મિત્રો જોડે રહેવાથી આપણાથી દુર રહે છે.
ADVERTISEMENT
આયુર્વેદમાં જણાવાયું છે કે મિત્રતા એક આયુષ્યવર્ધક રસાયણ છે, જેનો અર્થ મિત્રતા એક એવી દવા છે જે તમારા આયુષ્યને ઘણા વર્ષો સુધી લંબાવી શકે છે. મિત્રતા અને સ્વસ્થ સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ તણાવ ઘટાડે છે, હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે.
આ સ્વાસ્થ્ય લાભો કોર્ટિસોલના સ્તરમાં ઘટાડો, ઓક્સિટોસિનના સ્તરમાં સુધારો, બળતરામાં ઘટાડો અને જૈવિક વય પદ્ધતિઓમાં સુધારો થવાથી થાય છે. તેથી, સારા મિત્રો રાખવાથી હૃદય રોગ, માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળી શકે છે અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું સંચાલન કરવામાં પણ મદદ મળી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ આ લક્ષણો જોવા મળે તો સમજી જજો કે શરીરમાં વધી ગયું છે યૂરિક એસિડ, કંટ્રોલ કરવા માટે ફટાફટ આ કામ કરો
વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસો પણ મિત્રતાના સ્વાસ્થ્ય લાભો પર પ્રકાશ પાડે છે. એવું જોવા મળ્યું છે કે સારા મિત્રો ધરાવતા લોકો તેમના જીવનથી વધુ સંતુષ્ટ હોય છે. આ વ્યક્તિઓમાં ક્રોનિક રોગોનું જોખમ પણ ઓછું હોય છે. જો કે, જો કોઈ વ્યક્તિને મિત્રોનો અભાવ હોય, તો તે એકલતા અનુભવી શકે છે, તે માનસિક તણાવ અનુભવી શકે છે અને ડિપ્રેશન જેવી સમસ્યાથી ઘેરાઇ શકે છે.. સહાયક મિત્ર સાથે વાત કરવાથી વ્યક્તિનું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે, હૃદયનું કાર્ય સુધરી શકે છે અને મગજ વધુ કાર્યક્ષમ બની શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.