બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / સ્પોર્ટસ / Cricket / Former Team India captain Mahendra Singh Dhoni said, "Thank you PM Modi for your appreciation and best wishes."

Thanks PM / ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું,'' પ્રશંસા અને શુભેચ્છાઓ માટે પીએમ મોદી, આપનો આભાર''

Published By: Intern

Last Updated: 09:31 PM, 20 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમએસ ધોની એ 15 ઓગસ્ટના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેના લીધે તેના કરોડો પ્રશંસકોને આંચકો લાગ્યો હતો પણ દુનિયાભરમાં ફેલાયેલા તેના ફેન્સે તેને શુભકામનાઓ પાઠવાઈ હતી. હવે આ યાદીમાં એક બીજું નામ પણ જોડાઈ ગયું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ધોનીને નિવૃત્તિ પર શુભકામનાઓ પાઠવી હતી અને એક બે પેજ લાંબો શુભેચ્છા પત્ર પણ મોકલ્યો હતો. ત્યારે ધોનીએ સોશિયલ મીડિયામાં ટ્વિટ દ્વારા પીએમ મોદીનો આભાર માન્યો છે.

  • ધોનીએ માણ્યો પીએમ મોદીનો આભાર 
  • પીએમ મોદીએ નિવૃત્ત થવા પર પાઠવી હતી શુભેચ્છાઓ 
  • પીએમ મોદીએ મોકલેલો પત્ર ધોનીએ ટ્વિટર પર કર્યો શેર 

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમ.એસ. ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય નિવૃત્તિની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની પ્રશંસા કરી હતી, અને શુભેચ્છા રૂપ ધોનીની કારકિર્દી, વ્યક્તિત્વ અને સિદ્ધિવન બિરડાવતો એક પત્ર પણ મોકલ્યો છે. 

ધોનીએ ટ્વિટર પર શેર કર્યો પત્ર અને કહ્યું,'' thanks PM @narendramodi

ધોનીએ ટ્વિટર પર આ પત્ર શેર કર્યો હતો અને ટ્વિટર પર લખ્યું હતુ કે, "એક કલાકાર, સૈનિક અને સ્પોર્ટસપર્સન જેની તેઓની ઇચ્છા છે તે પ્રશંસા છે, કે તેમની મહેનત અને બલિદાન દરેકની નજરમાં આવે અને તે પ્રશંસા થઈ રહી છે. તમારી પ્રશંસા અને શુભેચ્છાઓ માટે  આભાર પીએમ મોદી.''

મોદીએ શું કહ્યું પત્રમાં

પત્રમાં પીએમ મોદીએ લખ્યું છે કે એમએસ ધોનીનું નામ ઇતિહાસમાં "વિશ્વની શ્રેષ્ઠ બેટિંગ ક્રિકેટ ખેલાડીઓમાંથી એક" અને "ક્રિકેટના સર્વશ્રેષ્ઠ કપ્તાન તરીકે" નામ આવશે.તેમણે વધુમાં લખ્યું છે કે ધોનીને ફક્ત ક્રિકેટમાં તેની ઉપલબ્ધિઓ માટે જ યાદ કરવામાં નહિ આવે, પરંતુ "નમ્ર શરૂઆત" પછી તેની અપાર સફળતા માટે પણ યાદ કરવામાં આવશે. વડા પ્રધાને 2007 ના વર્લ્ડ ટ્વેન્ટી 20 માં જીતનો ઉલ્લેખ તેમના "સ્પિરિટ" ના ઉદાહરણ તરીકે કર્યો, અને ભારપૂર્વક કહ્યું કે ધોની નવા ભારતનો ચહેરો રજૂ કરે છે જે જોખમ લેવામાં અચકાતા નથી.

પીએમ મોદીએ સેના સાથેના ધોનીના લગાવની પ્રશંસા કરી હતી. 

પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળો સાથે ધોનીના જોડાણ વિશે પણ જણાવ્યું હતું કે, "સૈનિકોના  કલ્યાણ પ્રત્યેની ધોનીની ચિંતા હંમેશાં નોંધપાત્ર રહી છે." પીએમ મોદીએ ધોનીને તેમના તમામ ભાવિ સાહસોમાં તેમને સફળ થવાની શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે ધોની ટેરિટોરિયલ આર્મીમાં જોડાયેલો છે, અને તેણે પેરાટ્રુપર્સ સાથે જોડાયેલી ટ્રેનિંગ પણ પૂર્ણ કરી હતી. 

ધોનીની નિવૃત્તિની ઊડી હતી અફવાઓ 

નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે આઇસીસી વર્લ્ડ કપ 2019 માં ન્યુઝીલેન્ડ સામે સેમિફાઇનલ રમ્યા બાદ ધોનીએ બ્રેક લીધો હતો.  જે બાદ તે પોતાની સેનાની તાલીમ લેવા માટે કાશ્મીર ગયો હતો અને તે પછી તે ટીમ ઈન્ડિયામાં સામેલ થયો ન હતો. આ રીતે, ધોની, જે તેની પ્રથમ અને છેલ્લી મેચમાં પણ રનઆઉટ થયો હતો, ત્યારે તેની નિવૃત્તિને લઈને ઘણી અફવાઓ ઊડી હતી. પરંતુ આઇપીએલ માર્ચ સુધી મુલતવી રાખ્યા પછી અને કોરોના લોકડાઉન વગેરે માં ચાર મહિના રહ્યા બાદ ધોનીએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને બધાને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, ધોનીના ખૂબ સારા મિત્ર એવા ટીમ ઇન્ડિયાના સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી.

ભારત માટે ત્રણેય ICC ટ્રોફી જીતનાર એકમાત્ર ભારતીય કેપ્ટન છે ધોની

અમને જણાવી દઇએ કે, ત્રણેય આઇસીસી ટ્રોફી (2007 ટી -20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી) માં ભારતને જીતવા માટે ધોની એકમાત્ર કેપ્ટન છે. તેણે વર્ષ 2014 માં જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જે બાદ ગયા વર્ષે 2019 ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં રન આઉટ થયા બાદ હવે ધોનીએ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ હોવા છતાં, તે ચોક્કસપણે 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ માટે ચેન્નઈની ટીમની કપ્તાની કરતો જોવા મળશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket MsDhoni PM modi icc એમ એસ ધોની પીએમ મોદી Thanks PM Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ