બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું ભૂલી ગયા, કે જૂના બેંક એકાઉન્ટમાં કેટલાં રૂપિયા પડ્યાં છે? તો ફૉલો કરો આ 3 સ્ટેપ્સ
Last Updated: 02:00 PM, 2 November 2025
શું તમારી પાસે ક્યારેય કોઈ જૂનું બેંક ખાતું હતું જે હવે તમે વાપરતા નથી? અથવા તમારા પરિવારના સભ્યના પૈસા લાંબા સમયથી બેંકમાં જ પડ્યા છે અને હવે ખાતું નિષ્ક્રિય થઈ ગયું છે?
જો હા, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) હવે તમારા જેવા ખાતાધારકો માટે એક સરળ અને પારદર્શક પ્રક્રિયા લઈને આવી છે.
ADVERTISEMENT
બેંકો તે ખાતાઓને નિષ્ક્રિય (Dormant Accounts) તરીકે ગણાવે છે, જેમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થયું. જો ખાતામાં 10 વર્ષ સુધી કોઈ દાવો ન થાય, તો બેંક તે રકમ RBIના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ (DEA) ફંડ માં ટ્રાન્સફર કરે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ પૈસા હજી પણ તમારા જ છે અને તમે અથવા તમારા કાનૂની વારસદારો ગમે ત્યારે તેનો દાવો કરી શકો છો.
RBI ના આંકડા મુજબ, દેશમાં હાલમાં કરોડો રૂપિયાની રકમ આવી બિનદાવાપાત્ર થાપણોમાં બંધાઈ ગઈ છે. હવે RBI એ આ પ્રક્રિયાને ખૂબ સરળ બનાવી દીધી છે, જેથી તમે ફક્ત ત્રણ સ્ટેપમાં તમારા નાણા પરત મેળવી શકો છો.
ADVERTISEMENT
RBI ની સત્તાવાર વેબસાઇટ ખોલો:
RBI Depositor Education and Awareness Portal પર જાઓ
ADVERTISEMENT
તમારું અથવા પરિવારના સભ્યનું નામ દાખલ કરો:
અહીં તમે જાણી શકશો કે કઈ બેંકમાં, કેટલા રૂપિયા બિનદાવાપાત્ર રૂપે જમા છે.
શિબિરોમાં સહાય મેળવો:
ADVERTISEMENT
RBI દ્વારા ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે દેશભરમાં ખાસ Unclaimed Deposits Camps યોજાઈ રહ્યા છે, જ્યાં તમે સીધી સહાય મેળવી શકો છો.
આ પણ વાંચોઃ આજે ફરી સોનું સસ્તું થયું! જાણો અમદાવાદ સહિત અન્ય શહેરોના ભાવ એક ક્લિકમાં
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT