બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અટકાયતની વાત માત્ર અફવા, લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ કરી સ્પષ્ટતા
Last Updated: 10:11 PM, 23 June 2026
ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીની અટકાયત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ચર્ચાઓને તેમણે અફવા ગણાવી છે. હકાભા ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમની અટકાયત અંગે ચાલી રહેલી વાતોમાં કોઈ સત્ય નથી અને લોકો આવી અફવાઓથી દૂર રહે.
ADVERTISEMENT
હકાભા ગઢવીએ સ્પષ્ટતા કરીને લોકોને હકીકતથી વાકેફ કર્યા
ADVERTISEMENT
હકાભા ગઢવીએ લોકોને અપીલ કરી છે કે કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતાં પહેલાં તેની સત્તાવાર પુષ્ટિ કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ઘણી વખત ખોટી માહિતી ઝડપથી ફેલાય છે, જેના કારણે ગેરસમજ ઊભી થાય છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાની સ્પષ્ટતા દ્વારા લોકોને હકીકતથી વાકેફ કર્યા છે અને અફવાઓને પ્રોત્સાહન ન આપવા અનુરોધ કર્યો છે.

ADVERTISEMENT
ખેડૂતોના સમર્થનમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી આગળ આવ્યા
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોના સમર્થનમાં લોકસાહિત્યકાર હકાભા ગઢવી આગળ આવ્યા છે. ખેડૂતોના પ્રશ્નો અને તેમના હિતોને કેન્દ્રમાં રાખીને આજે જેતપર ગામે વિશાળ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને ખેડૂતો તેમજ સ્થાનિક લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો
હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા જણાવ્યું છે કે ખેડૂતો દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેમના પ્રશ્નો તથા હિતોની અવગણના ન થવી જોઈએ. ખેડૂતોના મુદ્દાઓને વધુ મજબૂત રીતે લોકો સુધી પહોંચાડવા માટે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે મોટી સંખ્યામાં ખેડૂતોને આ લોકડાયરામાં હાજર રહેવા માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
ખેડૂતો જ નહીં પરંતુ તમામ કલાકારોને પણ ખેડૂતોના સમર્થનમાં
ADVERTISEMENT
કાર્યક્રમને લઈને હકાભા ગઢવીએ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તમામ કલાકારોને પણ ખેડૂતોના સમર્થનમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેમનું માનવું છે કે સમાજના દરેક વર્ગે ખેડૂતોના હિત માટે એક મંચ પર આવીને એકતા દર્શાવવી જરૂરી છે. લોકડાયરાના માધ્યમથી ખેડૂતોના પ્રશ્નો અને તેમની લાગણીઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
"ખેડૂતોનો અવાજ નહીં બનો તો બહિષ્કારનો સામનો કરવો પડશે''
આ દરમિયાન ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવનાર ગણપત કાવરે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "ખેડૂતોનો અવાજ નહીં બનો તો બહિષ્કારનો સામનો કરવો પડશે." તેમના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ગણપત કાવરનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નો માત્ર ખેડૂતોના નથી, પરંતુ સમગ્ર સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ છે અને દરેક વ્યક્તિએ તેમાં પોતાની જવાબદારી સમજવી જોઈએ.
આ પણ વાંચોઃ અમદાવાદના નવરંગપુરામાં મેટ્રો બ્રિજ નીચે કારમાંથી મળી યુવકની લાશ, પોલીસ-FSLની ટીમ પહોંચી
જેતપર ગામે યોજાનાર આ લોકડાયરાને ખેડૂતોની એકતા અને હિત માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. કાર્યક્રમના આયોજકોનું કહેવું છે કે આ માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ખેડૂતોના હક્ક અને હિત માટે એકતા દર્શાવવાનો પ્રયાસ છે. મોટી સંખ્યામાં ખેડૂતો, ગ્રામજનો અને કલાકારો કાર્યક્રમમાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોના હિત માટે એકતા દર્શાવવાની હાંકલ સાથે યોજાનાર આ લોકડાયરો હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ખેડૂતોના સમર્થનમાં ઉઠેલો આ અવાજ કેટલો વ્યાપક બને છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.