બ્રેકિંગ ન્યુઝ
VTV / FM Nirmala Sitharaman to announce details of Relief package
FM નિર્મલા સીતારમણે ગઈકાલે PM મોદીએ કહ્યું હતું તે પ્રમાણે તબક્કાવાર સરકાર જાહેર કરેલા કોરોના સામેના 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાતો કરવાની શરૂઆત કરી હતી જેમાં તેમણે કુલ 15 મુદ્દાઓ સમજાવ્યા હતા. આ પૈકીની મહત્વની જાહેરાતો સંક્ષિપ્તમાં આ પ્રમાણે છે.
ADVERTISEMENT
આવકવેરો ભરવાની તારીખ લંબાવાઇ
આવકવેરા ભરવાની તારીખ 30 નવેમ્બર 2020 કરાઈ, જ્યારે ટેક્સ ઓડિટ 31 ઓક્ટોબર સુધી કરી શકાશે.
ADVERTISEMENT
Among other measures, Due date of all income-tax return for FY 2019-20 will be extended from 31st July, 2020 & 31st October, 2020 to 30th November, 2020 and Tax audit from 30th September, 2020 to 31st October,2020. #AatmaNirbharBharatAbhiyan pic.twitter.com/R4ZWRgss9x
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
ADVERTISEMENT
રેલવે માર્ગના કામના કોન્ટ્રાકટર્સને 3 થી 6 મહિનાની રાહત આપવામાં આવશે. તેમની બેન્ક સિક્યોરિટીને આંશિક રીતે ઉપાડી શકશે
તમામ સરકારી એજન્સીઓ જેવી કે, રેલવે, હાઇવે તે તમામના કોન્ટ્રાક્ટકરોનો રાહત આપવામાં આવશે. પીપીપીમાં પણ છ મહિના સુધીની રાહત આપવાની વાત કેન્દ્રીય નાણાંત્રીએ કરી હતી.
ADVERTISEMENT
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે 90 હજાર કરોડની જાહેરાત
ADVERTISEMENT
વીજળી ઉત્પાદન અને વિતરણ કરનાર માટે જાહેરાત કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ડિસ્કોમ એટલે કે વીજળી વિતરણ કંપનીઓને મદદ માટે ઇમરજન્સી લિક્વિડિટી 90 હજાર કરોડની યોજના અમલી બનશે.
To give a fillip to DISCOMs with plummeting revenue and facing an unprecedented cash flow problem, Government announces Rs. 90,000 Crore Liquidity Injection for DISCOMs. #AatmaNirbharBharatAbhiyan pic.twitter.com/EVqz8nsm4p
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
ADVERTISEMENT
NBFC સેક્ટર માટે ૩૦ હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત
NBFC સેક્ટર માટે ૩૦ હજાર કરોડ રુપિયાની સ્પેશિયલ લિક્વિડીટી માટે રાહત પેકેજની જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 30000 કરોડની NBFC માટે લીકવીડિટી સ્કીમ પહેલા આપેલી છે. હવે 45000 કરોડની લીકવીડિટી સ્કીમ. ભારત સરકાર 20% નુકશાન ભોગવવાની જવાબદારી લેશે.
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર આપશે
15000થી ઓછો પગાર ધરાવતા કર્મચારીઓના PFના 24 ટકા કેન્દ્ર સરકાર જૂન, જુલાઈ અને ઓગ્સ્ટ એમ ત્રણ મહિના કરાવશે. આ જાહેરાતથી 3.66 લાખ કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને ફાયદો થશે. જ્યારે આ સિવાયના જે કર્મચારીઓ છે તેમનું PF 12-12 ટકાને બદલે 10-10 ટકા જમા કરવાનું રહેશે. જેથી કર્મચારીના હાથમાં વધારે પગાર આવશે. જો કે સરકારી કર્મચારીઓ માટે આ લાગુ નહીં પડે.
ત્રણ મહિના સુધી EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરશે સરકાર
કેન્દ્રીય નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, 2500 કરોડ દ્વારા જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ વધુ ત્રણ મહિના EPF ધારકોના ખાતામાં 24 ટકા જમા કરાવશે. જેનાથી 3.66 કંપનીઓના 72.22 લાખ કર્મચારીઓને થશે ફાયદો.

ફંડ્સ ઓફ ફંડના માધ્યમથી સહયોગ
Rs 50,000 cr. Equity infusion for MSMEs through Fund of Funds; to be operated through a Mother Fund and few daughter funds; this will help to expand MSME size as well as capacity. #AtmaNirbharBharatAbhiyan #atmanirbharbharat pic.twitter.com/Y5FMC4TouI
— PIB India #StayHome #StaySafe (@PIB_India) May 13, 2020
એમએસએમઇ કે જે સક્ષમ છે, પરંતુ કોરોનાને કારણે પરેશાન છે, તેઓને વ્યવસાયના વિસ્તરણ માટે 10,000 કરોડના ભંડોળ દ્વારા ટેકો આપવામાં આવશે - નાણાં પ્રધાન
MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે : નાણામંત્રી
MSMEના આ 45 લાખ એકમો 12 કરોડ લોકોની નોકરીઅોનો આધાર છે તેવી વાત નિર્મલા સીતારમણે કરી હતી. MSMEની વ્યાખ્યા બદલાશે જેથી તેમને મળતા લાભો વધશે. ઇન્વેસ્ટમેન્ટ લિમિટ પ્રમાણે MSME નક્કી કરાય છે. ઇન્વેસ્ટમેન્ટ વધુ હશે તો પણ MSME ગણાશે. હવે ટર્ન ઓવર પણ ગણવામાં આવશે. મેન્યુફૅક્ચરિંગ અને સર્વિસ MSME બંનેને સરખી રીતે ગણવામાં આવશે.
MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન
રાહત પેકેજમાં મોટી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, MSMEને 3 લાખ કરોડની ગેરંટી વિનાની લોન આપવામાં આવશે. MSMEને 4 વર્ષની અવધિ માટે 3 લાખ કરોડની કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન મળશે. 45 લાખ MSME ઉદ્યોગોને સીધો ફાયદો થશે. આ ઉદ્યોગો દેશનો પાયો છે. આ સાથે MSMEના આ 45 લાખ અેકમો 12 કરોડ લોકોની નોકરીઅોનો આધાર છે તેવી વાત નાણામંત્રીએ કરી હતી.
આત્મનિર્ભર ભારતનો અર્થ થાય છે એક આત્મવિશ્વાસી ભારત
આત્મનિર્ભર ભારતનો અર્થ એક આત્મવિશ્વાસી ભારત છે, જે સ્થાનિક સ્તરે ઉત્પાદનો બનાવીને વૈશ્વિક ઉત્પાદનમાં ફાળો આપે છે,નહીં કે તે પોતાના પુરતું સીમિત રહે. માટે લોકલ બ્રાન્ડને વિશ્વમાં ઓળખ આપાવવી પડશે
નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સના અગત્યના મુદ્દા
સતત ત્રણ દિવસ પેકેજ પર વિસ્તૃત જાહેરાત થશે
PM મોદી દ્વારા 20 લાખ કરોડના પેકેજની જાહેરાતના પગલે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત ત્રણ દિવસ આ પેકેજ પર વિસ્તૃત જાહેરાત કરશે. જેમાં આજે ગરીબો માટે જાહેરાતો થશે, કાલે મધ્યમવર્ગ અને ઉદ્યોગો માટે અને શુક્રવારે કંપનીઓ માટે જાહેરાત કરશે.
દેશની GDPના 10 ટકા જેટલું રાહત પેકેજ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ વચ્ચે મંગળવારે ચોથી વાર દેશને સંબોધન કર્યુ હતું. રાષ્ટ્રને સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રોગચાળા અને લોકડાઉનથી અસરગ્રસ્ત અર્થતંત્રને પુનર્જીવિત કરવા અને ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગના લોકો સહિતના તમામ અસરગ્રસ્ત વર્ગ અને વિસ્તારોને રાહત આપવા માટે રૂ .20 લાખ કરોડના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ દેશની GDPના 10 ટકા જેટલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.