બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / First reshuffle of Yogi Adityanath cabinet in Uttar Pradesh today

ઉત્તર પ્રદેશ / યોગી આદિત્યનાથ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 23 મંત્રીઓએ લીધા શપથ

Published By: Divyesh

Last Updated: 01:03 PM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં 23 મંત્રીએ શપથ લીધા છે. જેમાં 6 કેબિનેટ, 6 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને 11 રાજ્ય મંત્રીએ શપથ લીધા છે. કેબિનેટ મંત્રી તરીકે મહેન્દ્ર સિંહ, ભૂપેન્દ્રસિંહ ચૌધરી, રામ નરેશ અગ્નિહોત્રી, સુરેશ રાણા, અનિલ રાજભર, કમલા રાણીએ શપથ લીધાં.


નીલકંઠ તિવારી, કપિલ દેવ અગ્રવાલ, સતીશ દ્વિવેદી, અશોક કટારિયા, શ્રીરામ ચૌહાણ અને રવીન્દ્ર જયસ્વાલને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભારી) બનાવામાં આવ્યાં છે.

 અનિલ શર્મા, મહેશ ગુપ્તા, આનંદ સ્વરૂપ શુકલા, વિજય કશ્યપ, ગિરાજ સિંહ ધર્મેસ, લાખન સિંહ રાજપૂર, નીલિમ કટિયાર, ચૌધરી ઉદય ભાન સિંહ, ચંદ્રિકા પ્રસાદ ઉપાધ્યાય, રામસંકર સિંહ પટેલ અને અજીત સિંહ પાલને રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યાં છે. 
 


શપથ ગ્રહણ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભવિત મંત્રીઓ સાથે પોતાના સરકારી નિવાસ સ્થાને બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ સંગઠનના મંત્રી સુનીલ બંસલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રીમંડળનું પહેલુ વિસ્તરણ 19 ઓગસ્ટ સોમવારે કરવાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ આ વિસ્તરણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. 
 

 

સંકળાયેલા મુદ્દાઓ

CM Yogi Adityanath Cabinet uttar pradesh ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથ Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ