ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ કેબિનેટનું આજે પહેલું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં 23 મંત્રીએ શપથ લીધા છે. જેમાં 6 કેબિનેટ, 6 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને 11 રાજ્ય મંત્રીએ શપથ લીધા છે. કેબિનેટ મંત્રી તરીકે મહેન્દ્ર સિંહ, ભૂપેન્દ્રસિંહ ચૌધરી, રામ નરેશ અગ્નિહોત્રી, સુરેશ રાણા, અનિલ રાજભર, કમલા રાણીએ શપથ લીધાં.
શપથ ગ્રહણ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંભવિત મંત્રીઓ સાથે પોતાના સરકારી નિવાસ સ્થાને બેઠક કરી હતી. આ બેઠકમાં ભાજપ પ્રદેશ સંગઠનના મંત્રી સુનીલ બંસલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રીમંડળનું પહેલુ વિસ્તરણ 19 ઓગસ્ટ સોમવારે કરવાનું આયોજન હતું પરંતુ છેલ્લી ઘડીએ આ વિસ્તરણ મોકૂફ રાખવામાં આવ્યું હતું.
23 MLAs take oath as ministers in Uttar Pradesh Government, 6 of them as Cabinet Ministers, in the first Cabinet reshuffle of the present Government pic.twitter.com/IaUqWyt7oc