બ્રેકિંગ ન્યુઝ
Fire Broke out: ગજરાત સહિત દેશભરમાં હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ હવે ફક્ત દુર્ઘટનાઓ નથી રહી, પરંતુ વહીવટી બેદરકારી અને ગંભીર સુરક્ષા ખામીઓનું પરિણામ છે. અગાઉ દેશભરમાં અનેક મોટી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લાગેલી આગની ઘટાઓમાં અનેક દર્દીઓના મોત થયા છે, ત્યારે હવે એક પછી એક ચાર મોટી હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે.
ADVERTISEMENT
ગુજરાતમાં આજે (06 ઓક્ટોબર 2025)ના રોજ અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ સુરતમાં પણ હોસ્પિટલમાં આગ લાવવાનો બનાવ બન્યો છે. નોંધનીય છે કે, ગઈકાલે (05 ઓકટબર)ના રોજ અમદાવાદ અને જયપુરની હોસ્પિટલમાં આગ લાગી હતી. એટલે કઈ શકાય છે કે છેલ્લા 24 કલાકમાં જ ચાર મોટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે.
ADVERTISEMENT
અમદાવાદ શહેરની પ્રસિદ્ધ એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાને લઈને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓમાં થોડો સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સમયસૂચક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે.
ADVERTISEMENT
ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને કાબૂ મેળવ્યો
આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચીને ટૂંકા સમય અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં મોટી જાનહાની ટળી જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સુરતમા નિર્મલ હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી હતી. નિર્મલ હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગી હતી. મજુરા ગેટ વિસ્તારમાં આવેલ હોસ્પિટલમાં આગ લાગતા હોસ્પિટલના ડોક્ટરો તેમજ દર્દીઓમાં દોડાદોડ થઈ જવા પામી હતી. સોનોગ્રાફી રૂમમાં એસીમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.
ADVERTISEMENT
અમદાવાદ અને સુરતની ઘટના પહેલા રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરની સૌથી મોટી હોસ્પિટલ સવાઈ માનસિંહ હોસ્પિટલમાં આગ લાગવાથી ભયનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના ICU વોર્ડમાં લાગેલી આગમાં 8 લોકોના મોત થયા છે. શરૂઆતના અહેવાલોમાં 6 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ બાદમાં મૃત્યુઆંક વધીને 8 થઈ ગયો.
વધુ વાંચો : ગીર સોમનાથ: 3 માળનું મકાન ધરાશાયી થતા 3ના મોત, બાઇકસવારને પણ કાળ ભરખી ગયો
રવિવારે અમદાવાદમાં જ પાલડી વિસ્તારમાં બાળકોની હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. કોચરબ આશ્રમ સામે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી હતી. અંદાજે 10 જેટલા બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. જો કે મોટી જાનહાની ટળી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.