બ્રેકિંગ ન્યુઝ
સીકર શહેરમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જને આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. એક પરિવારના પાંચ લોકોએ ઝેરી પર્દાથ ખાઈને સામૂહિક આપઘાત કરી લીધો છે. માતાએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કરીને આ પગલુ ભર્યું છે. આ ઘટના સીકર પાસે પાલવાસ રોડ સ્થિત અનિરુદ્ધ રેસિડેન્સીની છે. જ્યાં કિરણ નામની મહિલાએ બે છોકરા અને બે છોકરી સાથે આપઘાત કરી લીધો..
ADVERTISEMENT
જાણકારી અનુસાર આજે સવારે ઘરનો દરવાજો ન ખોલતા આસપાસ રહેનારા લોકોને શંકા ગઈ હતી, લોકોએ બુમો પાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં , જ્યારે ઘરનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને લોકોના હોંશ ઉડી ગયા. પાંચ લોકો બેહોશ પડેલા જોઈને પોલીસને બોલાવવામાં આવી હતી. અને પોલીસે તાત્કાલીક તપાસ ચાલુ કરી દીધી હતી.
ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી લીધી.
ADVERTISEMENT
પોલીસે જણાવ્યા અનુસાર, બધા લોકોએ ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી. ઘટના સ્થળ પરથી ઝેરી પદાર્થની પેકેટ પણ મળી આવ્યું છે. શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આત્મહત્યાનું કારણ અત્યાર સુધી બહાર આવ્યું નથી. પરંતુ તપાસમાં આર્થિક તંગી, ઘર કંકાશની વાત સામે આવી છે.

ADVERTISEMENT
આ વિસ્તારમાં શોકનો માહોલ છે અને પોલીસ તપાસ કરી રહી છે
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, અને કોઈને વિશ્વાસ નથી કે આટલો ખુશ દેખાતો પરિવાર આટલું કઠોર પગલું ભરી શકે છે. બાળકો નજીકની શાળામાં ભણતા હતા, અને પડોશીઓના મતે, કિરણ ખૂબ જ શાંત મહિલા હતી. આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ હાલમાં સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારમાં શોક અને શાંતિનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
વધુ વાંચો: દિવાળી નજીક આવતા જ પોલીસ એક્ટિવ મોડમાં, એક્શન પ્લાન તૈયાર, જાણો શું
આ વિસ્તારમાં શોકનો માહોલ છે અને પોલીસ તપાસ કરી રહી છે
ADVERTISEMENT
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, અને કોઈને વિશ્વાસ નથી કે આટલો ખુશ દેખાતો પરિવાર આટલું કઠોર પગલું ભરી શકે છે. બાળકો નજીકની શાળામાં ભણતા હતા, અને પડોશીઓના મતે, કિરણ ખૂબ જ શાંત મહિલા હતી. આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ હાલમાં સંબંધીઓ અને પડોશીઓની પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારમાં શોક અને શાંતિનો માહોલ છવાઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.