બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Experts say that tea should not be consumed in excess
Last Updated: 04:33 PM, 9 January 2024
ADVERTISEMENT
શિયાળામાં લોકો વધુ પ્રમાણમાં ચાનું સેવન કરે છે. શિયાળાની ઋતુમાં એક કપ ચા તમને કેટલીક બીમારીઓથી દૂર રાખે છે. શિયાળાની ઋતુમાં ચાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ શિયાળામાં ચાનું સેવન વધી જાય છે. પરતું તેમનું કહેવું છે કે જરૂરથી વધુ ચાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

ADVERTISEMENT
આદુવાળી ચાનાં સેવનથી બચો
શિયાળામાં આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યાઓની સાથે-સાથે અન્ય બીમારીઓથી પણ રાહત મળે છે. લોકો ચાની અંદર આદું, એલચી, લવિંગ વગેરે નાખીને લાંબા સમય સુધી ઉકાળતા હોય છે. ચાને વધુ સમય સુધી ઉકાળવી ન જોઈએ. કારણ કે તેથી ચામાં હાજર ટેનીન બહાર આવે છે. જે એસિડિટીનું સૌથી મોટું કારણ છે.

ADVERTISEMENT
વાંચવા જેવું: ઊંઘ પૂરી કરવી કેમ જરૂરી? રાતના ઉજાગરાની ટેવ આગળ ચાલીને ઊભી કરશે એવી બીમારી કે જીવનભર પસ્તાશો
ટેનીન શું છે?
ટેનીન એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. જે ચાના પાંદડામાં જોવા મળે છે. જ્યારે ટેનીન મોટી માત્રામાં લેવામાં આવે છે ત્યારે તે એસિડ રિફ્લક્સ અને ગેસનું કારણ બની શકે છે. જો ચા પીધા પછી લાંબા સમય સુધી ગેસ ચાલુ રહે તો પેટમાં સોજો આવે છે. એટલા માટે કહેવાય છે કે જે લોકોને આંતરડાની સમસ્યા હોય તેમણે ચાનું સેવન ઓછું કરવું જોઈએ. એટલું જ નહીં જો પેટમાં ઈન્ફેક્શન હોય તો ચાનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.
ADVERTISEMENT
દિવસમાં કેટલી વાર ચા પીવી જોઈએ
નિષ્ણાંતોનાં મતે દિવસમાં બે કે ત્રણ વખતથી વધુ ચા ન પીવી જોઈએ. શિયાળામાં ચાનું સેવન માત્ર ત્યારે જ સારું છે જ્યાં સુધી તમે તેને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. તમે તેમાં જે ઈચ્છો તે મિક્સ કરીને પી શકો છો. આના કરતા વધુ વખત ચા પીવાથી તમને નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.