બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / Even on the late night of 31 December 2022 Tathya Patel met with an accident
Kishor
Last Updated: 11:46 PM, 24 July 2023
અમદાવાદમાં ચિત્તા ઝડપે જેગુઆર ચલાવી 9 ઝીંદગીને કચડી નાખનાર નબીરા તથ્ય પટેલનો વધુ એક અકસ્માતનો કેસ સામે આવ્યો છે. આરોપી તથ્યએ 31મી ડિસેમ્બર 2022ની મોડી રાત્રે અકસ્માત કર્યો હતો. જેમાં બેફામ સ્પીડે કાર ચલાવી શીલજ રોડ પર જેગુઆર ગાડી થાંભલા પર ચઢાવી દીધી હતી. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલની ગાડીમાં તેના મિત્રો પણ સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી
તથ્ય પટેલે 9 જિંદગીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોલીસ દ્વારા આરોપી સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ દરમિયાન ફાંટીને ધુમાડે ગયેલા તથ્યના એક પછી એક કરનારા ઉઘાડા પડી રહ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં વધુ એક અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન જેગુઆર કંપનીમાં નો-ક્લેઇમ ઇન્શ્યોરન્સ તપાસમાં અકસ્માતની વિગતો આવી સામે હતી. માતેલા સાંઢની માફક દોડતી કારે ઓવરસ્પીડમાં અકસ્માત કર્યો હતો. જોકે આ દરમિયાન અકસ્માતમાં કોઇ જાનહાની થઈ ન હતી.
શું હતી સમગ્ર ઘટના ?
19 જુલાઈનાં રોજ શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime