બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / energy minister Saurabh Patel statement on Gujarat farmer

હુકમથી / ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર આવ્યા, જાણો શું કહ્યુ ઊર્જામંત્રીએ?

Published By: Gayatri

Last Updated: 04:34 PM, 20 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યા છે આવો જાણીએ તેમણે શું કહ્યુ છે.

  • ગુજરાતના ખેડૂતો માટે અત્યાર સુધીના સૌથી સારા સમાચાર
  • હવે ખેડૂતોને દિવસે પણ મળશે વીજળી
  • રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત

કેબિનેટ મંત્રી સૌરભ પટેલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોનો હવે દિવસે વીજળી મળશે. 

રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે.

ખેડૂતોને દિવસમાં વીજ આપવાની જાહેરાત કરી છે. ખેતી માટે દિવસે વીજ આપવા મહત્વની યોજના જાહેર છે. 17.25 લાખ ખેડૂતોને વીજ કનેક્શન ધરાવે છે. દિવસે વીજળી આપવાની ખેડૂતોની માગ હતી. કિસાન સર્વોદય યોજનાનુ PM ઉદ્ઘાટન કરશે. રાજ્યના 17.25 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે. બે કે ત્રણ વર્ષમાં યોજનાની કામગીરી પૂર્ણ થશે. 

કયા ગામડાઓને કેટલા કલાક મળશે વીજળી

ઊર્જામંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, સવારે 5થી સાંજે 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવશે. દિવસે વીજળી માટે 11 થી13 હજાર મેગા વોટ વીજળીની જરૂર પડે છે. જૂનાગઢના 220 ગામોને દિવસે વીજળી અપાશે. ગીર સોમનાથના 143 ગામોને દિવસે વીજળી અપાશે. દાહોદના 692 ગામોને દિવસે વીજળી આપશે. 

દિવસે વીજળી કેટલી દૂર?

  • ખેડૂતોને દિવસે વીજળી આપવાનું માળખું ઉભું કરતા 3 વર્ષ લાગશે
  • કિસાન સૂર્યોદય યોજના માટે સરકારે નવું માળખું ઉભુ કરવાનું છે
  • 2020-21ના બજેટમાં ગુજરાત સરકારે 3500 કરોડની જોગવાઈ કરી છે
  • 3500 કરોડ રૂપિયા આગામી 3 વર્ષમાં ખર્ચ કરીને માળખું બનાવવાનું છે
  • 3 વર્ષમાં તબક્કાવાર યોજનાનો અમલ કરવાનું સરકારનું આયોજન છે
  • વીજળીનું વહન કરી શકે તેવી વ્યવસ્થા હજુ સરકારે બનાવવાની છે
  • હાલના વીજળી લઈ જતા માળખામાં આ યોજના ફીટ બેસે તેમ છે જ નહી
  • 220 કેવી ટ્રાન્સમિશનની 20 લાઈનો સરકારે નવી નાખવી પડશે
  • 132 કેવી ટ્રાન્સમિશનની 1 લાઈન નવી નાખે પછી કામ આગળ વધે
  • 66 કેવી ટ્રાન્સમિશનની રાજ્યમાં 233 લાઈનો નાખવી પડે તેમ છે
  • 254 ટ્રાન્સમિશનથી 3817 સર્કિટ કિલોમીટર લાઈન ઉભી કરવી પડશે
  • 220 કેવી સબસ્ટેશન 10 અને 132 કેવી સબસ્ટેશન 1 એમ કુલ 11 સબસ્ટેશન બનાવવા પડશે
  • આ યોજના માટે સરકાર અગાઉ જાહેરાત કરી ચૂકી છે 
  • ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 3 વર્ષ સુધી સરકારે અસરકારક રીતે જમીન પર કામ કરવું પડશે
     

સંકળાયેલા મુદ્દાઓ

Energy Minister Energy Minister Saurabh Patel agro News ઊર્જા મંત્રી સૌરભ પટેલ ખેડૂતો ખેતીવાડી Agro News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ