મુંબઈની નજીકના વિસ્તારમાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. થોડાક દિવસ પહેલા પણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા મુંબઈની આસપાસના કેટલાક વિસ્તારોમાં ભૂંકપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
મુંબઈની નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો
મુંબઈની ઉત્તર તરફ 102 કિલોમીટર દૂર અનુભવાયો આંચકો
રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ જાણકારી
મુંબઈની નજીકના વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મુંબઈની ઉત્તર તરફ 102 કિલોમીટર દૂર 8 વાગ્યે આંચકો અનુભવાયો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધાઈ છે. આ જાણકારી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજિ દ્વારા અપાઈ છે.
આ અગાઉ મહારાષ્ટ્રના મુંબઇમાં ગત શનિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવામાં આવ્યાં છે. જેની તીવ્રતા 2.7 માપવામાં આવી છે. જ્યારે મોડી રાત્રે નાસિકમાં મોડી રાત્રે 11 વાગહ્યાની 41 મિનિટ પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 4 માપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ગુજરાત તથા મંબઈ નાસિકમાં વારંવાર ધરતીકંપ આવી રહ્યાં છે. આ અગાઉ જામનગર, કચ્છમાં પણ ભુકંપના આંચકા અનુભવાયાં હતા. ત્યારે શુક્રવારે મોડી રાત્રે વલસાડમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વલસાડમાં મોડી રાત્રે 11.41 કલાકે 4.1 અને બીજો 12.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંનેનું ભૂકંપનું કેન્દ્ર બિંદુ વલસાડથી 65 થી 80 કિમી દૂર નોંધાયું હતુ.