ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે દશેરા છે. લોકો દશેરાના દિવસે રાવણનું દહન કરીને ખુશીઓ મનાવે છે. ત્યાં જ આજના દિવસે રાજસ્થાનના જોધપુરમાં દશેરા અસત્ય પર સત્યની જીતના પ્રતીક રાવણના પુતળાનું દહન દશેરાએ થાય છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક સમાજ એવો પણ છે જે દશેરાના દિવસને શોકના રૂપમાં ઉજવે છે.
હકીકતે જોધપુરના શ્રીમાલી દવે ગોધા પરિવાર પોતાને રાવણના વંશજ માને છે. તે દશેરાના દિવસને શોકના રૂપમાં ઉજવે છે. આ દિવસે જોધપુરમાં રાવણના મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરવામાં આવે છે.
ADVERTISEMENT

રાવણની પૂજા
શ્રીમાલી ગોધા બ્રાહ્મણોનું કહેવું છે કે રાવણ એક મહાન સંગીતજ્ઞ વિદ્વાન હોવાની સાથે જ જ્યોતિષ શાસ્ત્રના પ્રકાંડ પંડિત પણ હતા. એવી માન્યતા છે કે રાવણની પત્ની મંદોદરી જોધપુરના મંડોરની રહેવાસી હતી. માટે રાવણને જોધપુરના જમાઈ માનવામાં આવે છે.
ADVERTISEMENT
જોધપુરના મેહરાનગઢ કિલા રોડ પર સ્થિત મંદિરમાં રાવણ અને મંદોદરીની મૂર્તિની સ્થાપિત છે. આ મંદિરનું નિર્માણ પણ ગોધા ગૌત્રના શ્રીમાલી બ્રાહ્મણોએ કરાવ્યું છે. તેમનું માનવું છે કે રાવણની પૂજા કરવાથી ઈચ્છાની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ તેમને ખરાબ નજરથી બચાવે છે.

ADVERTISEMENT
મંદોદરીની આરાધના
પંડિત કમલેશ કુમાર જણાવે છે કે, "રાવણ દહન બાદ સ્નાન કરવું જરૂરી છે." પહેલા જળાશય હોતા હતા તો અમે બધા ત્યાં સ્નાન કરતા હતા. પરંતુ હવે અમે ઘરોની બહાર જ સ્નાન કરી લઈએ છીએ. સાથે જ આ સમયે જનેઉ બદલવી પણ જરૂરી હોય છે. તે ઉપરાંત મંદિરમાં રાવણ અને શિવની પૂજા પણ કરવામાં આવે છે. તે સમયે દેવી મંદોદરીની પણ આરાધના કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ